Friday 25 March 2016

Nikhalas Samaj Darshan august 2015 1st edition



Nikhalas Samaj Darshan august 2015 1st edition from Sanket Barot
 

Tuesday 22 March 2016

ભાઇ બારોટ એટલે બારોટ...!

ભાઇ ભાઇ બારોટ એટલે બારોટ...!
ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય...,
આંગણિયે આવકારો હોય...
મહેમાનોનો મારો હોય...!
ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય...!
સત્સંગ મંડળી જામી હોય...
બેસો તો !
સવાર સામી હોય..,
જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય...!
વહુને સાસુ ગમતાં હોય...
ભેળાં બેસી.. જમતાં... હોય..,
બોલવામાં સમતા હોય...
ભૂલ થાય તો નમતાં હોય...!
છોકરાં ખોળામાં રમતાં હોય...
આવી માની મમતા હોય..,
‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !
સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,
ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !
નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!
ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય...,
મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય...
પરબે પાણી પાતાં હોય...,
ભકિત રંગમાં રંગાતા હોય...
પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય...
મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય...
રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...
શ્રી કૃષ્ણનો.. વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...
જાણે મળયા ભગવાન હોય...!
સંસ્કૃતિની શાન હોય...
ત્યાં સુખીએનાં સંતાન હોય...,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,
નદી કાને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય...
ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...
મોટા સૌનાં મન હોય...,
હરિયાળાં વન હોય...
સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય...
પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ... અથડાતો હોય.., .
મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહિમા ગાતો હોય,
પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ ...............   બારોટ એટલે બારોટ

ભલે મારો બારોટ સમાજ ભલે
💥જય હિંગળાજ માઁ💥

- Ravibhai Barot - Surat (WhatsApp)

Sunday 20 March 2016

भीष्म पितामह ने शराब और माँस के बारे मे क्या कहा ?


भीष्म पितामह जैसा व्यक्ति क्षत्रियो मे न आज तक पैदा हुआ और ना होगा सा।

1-जिसने 300 अश्वमेघ यज्ञ करवाये हो।

2-श्रीक्रष्ण ने जिनको ज्ञान का सूर्य कहा हो।

3-जिनके पास ईच्छा मृत्यु का वरदान था सा।

4-जिसने आजीवन ब्रह्मचर्य व्रत पालन कि अखण्ड प्रतिज्ञा निभाई।

5-महा भारत का युद्ध 18 दिन चला,जिसमे भीष्म पितामह 9 दिन लडे।एक दिन के 10000 योद्धा काटे

9 दिन मे लगभग एक लाख योद्धा काटे और सब को स्वर्ग मिला हम से तो बन्ना एक दिन मे दस हजार गाजर मूली भी नही कटे सा।वह हमारा पुरखा भीष्म पितामह शराब और मांस के बारे मे कहता है सा

1-मांस खाने से पाप लगता है और शराब पिने से महापाप लगता हैपाप का प्रायश्चित है लेकिन महापाप का कोई प्रायश्चित नही है।2- सुरा [शराब] के स्पर्श अनाज और झूंठा खाना, खाने लायक नही होता है।

अनाज कि बोरी के शराब कि बोतल स्पर्श हो जाय तो उस अनाज को खाना नही चाहिए, उसको फेक देना चाहिए।3- मांस, मछली, अण्डा,

आसव और तिल मिले चावल ध्रुतो द्वारा प्रचलित खाना है।

4-दुषित [तामसिक] आहार करने वाला ब्रह्मचर्य व्रत का पालन नही कर सकता।

क्योकि हम जो भोजन करते है उससे रस बनता है रस से खुन बनता है खून से मांस बनता है मांस से हड्डी बनती है हड्डी से मज्जा बनती है मज्जा से वीर्य बनता है शुद्ध वीर्य मनोहवा नाडी से दोनो भ्रकुटिया के बीच मे चला जाता है जिससे ओज बनता है और औज से तेज बनता है।हमारे पुरखे सात्विक खाना खाते थे जिससे उनके चेहरे पर तेज रहता था।

तेज यानी जिसके चेहरे को देखकर दुश्मन भयभीत हो जाये।और जो अशुद्ध वीर्य [रस] होता है उसको हमारे प्राण ग्रहण नही करते है और वो वीर्य हमारे शरीर मे ही धुमता रहता है। इसलिए लोगो मे वासना जाग्रती अधिक है।

इस अशुद्ध खान पान के कारण वासना, बलात्कार, दुस्कर्म हो रहे है।

इसलिए भिष्म पितामह ने कहा है की अशुद्ध खान पान [तामसिक] वाला व्यक्ति ब्रह्मचर्य व्रत का पालन नही कर स कता।यह सब बाते वह कह रहा जिनको भगवान क्रष्ण ने "ज्ञान का सूर्य कहा है।" और लोगो ने हमारे दिमाग मे यह बिठा दिया कि ठाकूर तो ठेठ से ही खाते पिते आ रहे है।इसमे बिलकुल भी सच्चाई नही है सा।अगर हमको पहले गौरव वाला मान, सम्मान पान है तो वास्तविकता को अपनाना पडेगा और सात्विकता को अपनाना पडेगा,सत्य बोलना पडेगा और हमारे सती, भोमिया और झुंझार मे पूर्ण आस्था और विश्वास रखना पडेगा सा। "जय क्षात्र धर्म "

- Sagarbhai Sarteja (vahivancha barot) Saurashtra

પાઘડીવાળા

પાઘડીવાળા...ભલે પા'ઘડી જીવ્યા,
એના આ'ઘડી અમર નામ મરજીવા... પાઘડીવાળા

પાઘ  ભગવીને...આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા... પાઘડીવાળા

પાઘ મરાઠીને...એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા...પાઘડીવાળા

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા... પાઘડીવાળા

પાઘ  ગુજરાતીને...એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા... પાઘડીવાળા

પાઘ મેવાળીને...રાજ રાણાનુ,
ચારણે રાખેલ સત મરજીવા...પાઘડીવાળા

- Sagarbhai Sarteja (vahivancha barot )Saurashtra

બારોટ શબ્દ ક્યાંથી આવ્યો?

માતા સરસ્વતીને છ મુખ છે. છ મુખના બાર હોઠ થાય છે બારહોઠનું અપભ્રંશાથી બારોટ શબ્દ થયો હોય તેવું મનાય છે.

           ભારતમાં જે ‘દિ’ લોકશાહીનો ઉદય થયો, ત્યારે રાષ્ટ્રીયતાનો વિકાસ થયો અને વર્ગો તેમજ રીત-રિવાજોથી સર્જાયેલા ઉચ્ચ-નીચના ભેદો જ સામાજિક અસમાનતાના ઘાતક અને રાષ્ટ્રની પ્રતિજ્ઞા અવરોધ બનતા પશ્ચિમના સામ્યવાદે અને મહાત્મા ગાંધીજીના સર્વોદયવાદે બિન સાંપ્રદાયક સમાજની રચનાના વિચારો આપ્યા અને એમાંથી જ લોકશાહી સમાજવાદનો જન્મ થયો
આપણે વાત અહી વાત કરવી છે બારોટની.

           ભાવનગર માલદાનભાઈ એચ. બારોટ લખે છે કે, વેદ્પુરણમાં એક એવી પણ વાત છે કે, દેવોની આઠ જાતિ હતી તેમાં વિધાધર એક જાતિ હતી.વિધાઓંને જે ધારણ કરે તે વિધાધર.પાછળથી વિધાઓ, સૂત, પોરાણિક,માગધ બંદીજન જેવા નામે ઓળખતા. મધ્યયુગ સુધી આમ ચાલ્યું.મહાભારતકાળમાં મહાભારતનું યુદ્ધ થયું તેની રનીગ કોમેન્ટ્રી સંજયને સોપાઈ.શ્રીકૃષ્ણ જેવા બુદ્ધિશાળી નેતા આ કામ અન્ય કોઈએ સોંપી શક્યા હોત છતાં સંજયને સોંપવામાં આવ્યું.જો અન્યને સોંપ્યું હોત તો સંજયના યુદ્ધ વર્ણનની કળા સામે બીજા કોઈપણ ફીફા લાગત.આ રીતે મધ્યયુગના પ્રથમ અવશેષ એવા કવિ ચંદ કે જેઓ જવાળામુખીની સ્તુતિમાં અનેક સ્થળે બંદીજન શબ્દ વાપર્યો છે. એ જ વાત પુરવાર કરે છે કે, આજના યુગમાં જેમ વાર્તાકારો અને ગાયકોના બે જુદા જુદા વર્ગ છે તેમ જુના જમાનામાં પણ વાર્તાકારો, કથાકારો, પોરાણિક કહેવાતા.જયારે ગાયકો બંદીજન કેહવતા.સંજય પહેલા વર્ગના હતા જયારે ચંદ બીજા વર્ગના હતા.પણ વાસ્તવમાં તેઓ જાતિની દ્રષ્ટીએ એક હતા.

           મધ્યયુગમાં ક્ષેત્રીય રાજ્યો હતાં વિધાધરો તેને આપ્રયે રેહવા લાગ્યા તેમાં કોઈ વાર્તાકાર તારીખે કોઈ વળી કવિ તરીકે.ઉપદેશક જાતિ હોઈ,પાછળથી તેઓ બ્રાહ્મણો સાથે ખપ્યા.છતાં રજપૂતો સાથેના આહાર-વિહાર અને જરૂર પડ્યે યુધની કામગીરી પણ કરતા હતા.તેથી ‘બ્રહમભટ્ટ’ તરીકે ઓળખાયા તેમ છતાં બ્રાહ્મણો સાથેનો તેનો વહેવાર ચાલુ રહ્યો.

           અહી બ્રાહ્મણો બ્રાહ્મણોના અર્થમાં અને ‘ભટ્ટ’ શુરવીરના અર્થમાં હતો, પણ બ્રાહ્મણોને આ લાંબેગાળે ન રૂચ્યું અને ન રૂચે તે સ્વાભાવિક છે.એટલે ‘બ્રહમભટ્ટે’ બ્રાહમણોથી જુદા પડતા વિધમાં ઓટ આવવા લાગી આથી ‘બ્રહમભટ્ટે’ શબ્દમાંથી પાછલો ‘ભટ્ટ’ શબ્દ અપભ્રંશ થઈને ભાટ થઇ ગયો.

           મધ્યયુગના અંતમાં તો ‘બ્રહમભટ્ટ’ શબ્દ લગભગ વિલીન થઇ ગયો માત્ર ભાટ શબ્દ રહ્યો.બ્રાહ્મણો સાથે તેનો સબંધ માત્ર જનોઈ ધારણ કરવા પુરતો અને ચોર્યાશીમાં જમવા પુરતો રહ્યો.

           પરંતુ આપણી તો મૂળ વાત છે બારોટ શબ્દની.આ બ્રહમભટ્ટ, ભાટ, દવારભટ, બ્રાહમણ આ શબ્દોમાંથી જ બારોટ શબ્દ ઉત્પન્ન થયો છે તેવું માનવામાં આવે છે. આ પુરાણિક વાતમાં પુરાણો અને ઇતિહાસના આધારે કાશીએ ભણેલા મહુવાના વતની કર્મકાંડી અને વેદાંતાચાર્ય પ્રજાપતિના બારોટજી અદાપુરાણીના લખે છે કે,બ્રહમાના કપાળમાંથી કવિ ઋષી ઉત્પન થયા જેને માતા સરસ્વતીએ ભણાવ્યા તેથી તેને ચારે વેદ ખટ શાસ્ત્ર અને અઢારેય પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થયું.

           કુંભણના કવિ (હાલ મહુવા) અમરૂદેવ બારોટ કવિ ‘શ્રીકુંભ’ બારોટ લખે છે કે,અદાપુરાણી માતા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન કરતા લખે છે કે,માતા સરસ્વતી છ મુખ છે. છ મુખના બાર હોઠ થાય છે બારહોઠનું અપભ્રશ થતાં તેમાંથી બારોટ શબ્દ થયો હોય તેવું મનાય છે.આ મુખમાંથી નીકળેલી અદભુત વાણી કવિ ઋષીએ કંઠસ્થ કરી આ શબ્દ વિધાને એટલે કે માતાજી બારેય હોઠથી નીકળી વાણીને સમાજમાં પ્રવાહીત કરતા કવિ ઋષી બારહઠ કહેવાયા અને આ બારહઠનો બારોટ શબ્દ પ્રાયોજિત થયો જેને આજે એક જ્ઞાતીનો દરજજો મળ્યો છે.

           ભાષા સાહિત્યની દ્રષ્ટીએ બારહઠનો અર્થ દવારભટ્ટ પણ થાય છે.તેથી એ બ્રહ્મભટ્ટ કહેવાય અને આ બ્રહ્મભટોની નવ શાખા થઇ જે નાવકટારીના ભાટ કહેવાયા છે.દવારભટ્ટની જેમજ ચારણો માટે ગઢવીર શબ્દ વપરાતો હતો અને તેનો અર્થ પણ દવારભટ્ટ જ થાય.

           કોઈ એમ કેહ્તું હોય કે, બારહઠનું બારણામાં બેસી હઠ કરનાર જાતિ એવો અર્થ કરે છે. પણ તે બરોબર નથી.ભાટો મૂળ બ્રાહ્મણો હતા એટલે સત્યપ્રિયત્વ તે તેઓ જાતિ સ્વભાવ હતો ક્ષેત્રીયોના તેમાં દ્રઢતા ભળી એટલે તેઓ સત્ય માટે મૃત્યુ પસંદ કરતા.કેટલાક આચરણો માટે તેઓ સખત વોરોધ કરતા આવા ગુણને કારણે ક્ષેત્રીય રાજાઓ તેઓ પર જરૂર ભરોસો મુકતા.એટલું જ નહી.પણ દુશ્મન પક્ષના હોય તોપણ નેક-ટેક માં ભાટો વિશ્વાસનિય હતા.આવા ભાટોની બાર પ્રતિજ્ઞાઓ હતી અને તે બાર પ્રતિજ્ઞાને તેઓ જીવનભર પાળતા.એટલે ભાટો પાછળથી બારહઠ કહેવાયા.

           આ બાર પ્રતિજ્ઞાઓમાં તેઓ ક્યારેય જુગાર ન રમે, કોઈ મરીગ્યું હોય તો તેવા પાછળનું દાન ણ લ્યે, વ્યતિપાત, સંક્રાત, ગ્રહણ જેવા શાસ્ત્રનિષિધ પ્રસંગોના દાન લ્યે, કયા, વાણી અને આચરણ શુદ્ધ રાખે,વ્યભિચાર ન કરે,ખોટું ન બોલે, વચન ભંગ થાય નહી વગેરે…


જેતપુર-નવાગઢ- || ઈતિહાસ || ઈતિહાસ-સ્થાપત્ય

''વાંકી મૂછો, વાંકી પાઘડી, વાંકી શિરોહી તલવાર,
રાંગમા ઘોડિયું થનગને, ઈ મુલક કાઠિયાવાડ.''
    આવા આ કાઠિયાવાડના કાઠી પરગણાના કેન્દ્રસ્થ ગામ જેતપુર વિશેની થોડી રસપ્રદ વિગતો અત્રે રજૂ કરેલ છે.

''માહિતી કેટલીક સાંપડી, મખ્યો આગળનો ઇતિહાસ,
જે કંઈ મુજને જડયું, સંગ્રહ કીધો સાર.''
    ઈ.સ. ૧૯૩પમાં ગર્વમેન્ટ ઓફ ઈન્‍િડયા તરફથી પ્રકાશિત થયેલ અંગ્રેજી પુસ્તક - ' ધ રુલીંગ પ્રિન્‍િસઝ, ચિફસ એન્ડ લીડીંગ પરસન્સ ઈન ધ વેસ્ટર્ન ઈન્‍િડયા સ્ટેટ એજન્સી' માં જણાવ્યું છે કે બ્રહ્માની પિસ્તાલીસમી પેઢીએ બાલાદિત્ય થયા તેના અનુવંશીઓ બાલા કહેવાયા. તેઓ કાઠિયાવાડમાં આવ્યા પછી 'વાળા' કહેવાયા. તેમાં પુષ્પમિત્ર થયા. તેમણે તેમના પિતા અહિ કેતુના નામ ઉપરથી 'અહિકેતપુર' વસાવ્યું. જે પાછળથી 'ગુર્જરગઢ', 'જેતપોર' અને અંતે 'જેતપુર' એવા નામે પ્રસિધ્ધ પામયું.

     બ્રહ્માની ૧૬૪મી પેઢીએ થયેલ એભલવાળા છઠ્ઠાએ જેતપુરમાં રાજ કર્યું. તેને ચાંપરાજવાળા અને શેલાયતવાળા એમ બે પુત્રો હતાં. જેમાં દિલ્હીના સૂબા સાથે લડતા-લડતા ચાંપરાજવાળા મરાયા અને જેતપુર મુસલમાનોના હાથમાં ગયુ. થોડો સમય મુસલમાન શાસકોએ રાજ કર્યું.

     મુગલાઈ સતાના અંત પછી કાઠીઓએ પોતાના બાહુબળથી સરવૈયા રાજપૂતોને હરાવી ઈ.સ.૧૭૩પ માં ચીતલ અને બીજા પ્રદેશ મેળવ્‍યા. તે સમયે જેતપુર,બિલખા અને મેંદરડામાં લૂંટારાઓનો ભય રહેતો એને જૂનાગઢમાં રાજકર્તા તેમને શાંત રાખવા સમર્થ ન હતા,તેથી ઈ.સ.૧૯૬૦ માં આ ત્રણ ગામ વાળા કાઠીઓને તેમણે સોંપી દીદ્યા. આ પછી કાઠીઓને ભાવનગર રાજય સાથે દુશ્મનાવટ થતાં કાઠીઓએ વિચાર્યું કે આ ગામ દુશ્મન ના હલ્લા સામે બચાવ કરી શકે તેવું નથી તેથી ઈ.સ.૧૯૯ર માં જેતપુરને ફરતે મજબુત કિલ્લો બંદ્યાવી ત્યાં પોતાનું વડુમથક સ્થાપી રાજદ્યાનીનું શહેર બનાવ્યું. ઈ.સ.૧૮૦૪ માં ગાયકવાડનાં દિવાને જેતપુર પર હુમલો કરી એક મહીનો તોપમારો ચલાવ્યો પણ કીલ્લાની કાંકરી પણ ખરી નહી, આવો મજબૂત તે કિલ્લો હતો.

     ચિતલની ગાદી જેતપુર ફેરવવામાં આવી તે સમયે નાજાવાળાના બેપુત્રો હતા. વીરવાળા અને જૈતાવાળા,વીરાવાળાએ બિલખા અને જૈતાવાળાએ જેતપુરની રીયાસત ઉભી કરી અને જેતપુર તેમજ ચિતલ તરફ ધ્યાન આપ્યું. આ વીરાવાળાના વંશજો 'વિરાણી' અને જૈતાવાળાના વંશજો 'જેતાણી' શાખથી ઓળખાયા. સમય જતા ચૈતાણી વાળા દરબારોનાં ભાગમાં જેતપુર, પીઠડીયા, થાણાદેવળી (અમરનગર), માનપુર, માયાપાદર, ભાયાવદર, સનાળા, સૂર્યપ્રતાપગઢ, અનીડા, આલીદ્ય્રા, નડાળા, ખીજડિયા, સરધારપુર, અકાળા વિગેરે આવતા તે સ્ટેટસ તાલુકાઓ બન્યા. ઈ.સ.૧૯૪૭ માં ભારત દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ રાજયો ઉપર તેમણે તેમનું શાસન કર્યું હતું.

રણવીર ચાંપરાજવાળા
જેતપુરની ઓળખ ગુજરાતમાં જેતપુર કાઠીનું તરીકે ઓળખાય છે, એવા આપણા આ જેતપુર શહેરમાં વીર ચાંપરાજવાળા નામે વિખ્યાત રાજવી થયા. એમના વિશેની એક પરંપરાગત કથા છે કે ચાંપરાજવાળાને એક સ્વરૂપવાન પુત્રી હતી. તેની માંગણી મુસલમાન સૂબાને પહોંચી શકાય તેમ નથી તેમ જણાતા પોતાની કુંવરીને તલવારને ઝાટકે મારી નાખી, પછી ભાદરને કાંઠે મહાદેવ સમક્ષ કમળપૂજા કરી યુધ્ધમાં ઉતર્યા. જયાં તેમણે કમળપૂજા કરી તેમનું શિર પડયું. તે સ્થળે જેતપુરમાં આજે ચાંપરાજની બારી તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે હાલ તેમનું મંદિર બનાવવામાં આવેલ છે, જયાં તેમના મસ્તકની પ્રતિકૃતિ મૂકેલ છે. ચાંપરાજવાળાનું ઘડ લડતું લડતું દુશ્મન સૈન્ય પાછળ પડયું અને છેક અમરેલી જિલ્લમાં આવેલ લાઠી ગામનાં પાદર સુઘી દુશ્મનોને તગડી આવ્યું, પણ ત્યાં કોઈએ આ ઘડ ઉપર ગળીનો દોરો નાખતાં ઘડ ત્યાં પડી ગયું. (કારણ ગળી અપવિત્ર મનાય છે.) આ વીર પુરૂષની યાદ કાયમ જળવાઈ રહે તે માટે જેતપુરના મુખ્યચોકને ’ચાંપરાજવાળા ચોક’ એવું નામકરણ કરી તેમની સ્મૃતિ જાળવવાનો પ્રયત્ન થયો છે.

તપુર દરબાર સાહેબશ્રીમુળુવાળા સાહેબ

        જેતપુરના રાજવી શ્રી મુળુવાળા સાહેબનો જન્મ ઈ.સ. ૧૮૩૭ માં થયો હતો. દ. શ્રી. મુળુવાળા સાહેબ સારાં વહીવટ કુશળ રાજવી હતાં તેમની યશસ્વી કારકીર્દી ચૌતરફ કાઠીયાવાડમાં ફેલાઈ હતી. તેઓ ઉજજવળ પ્રતિભા ધરાવતા હોવાના ભાગ રૂપે ઈ.સ. ૧૯ર૮માં અંગ્રેજોએ સી.આઈ.ઈ. ના ઈલ્કાબથી વિભુષ‍િત કર્યા હતાં. આવા બિરૂદો ’રાજાશાહી’ યુગમાં ’કલગી’ રૂપ ગણાતાં. દરબારશ્રી મુળુવાળા સાહેબ જેતપુર તાલુકા કોર્ટના પણ આજીવન મેમ્બર હતાં. જે તાલુકા કોર્ટનું મકાન ’જૂની કોર્ટ’ તરીકે ઓળખાય છે. અને આજે પણ હયાત છે.

        દરબાર શ્રી મુળુવાળા સાહેબ ની ઉદારતા તથા ધાર્મિક આસ્થા ઉમદા હતી. દરબાર સાહેબે ત્રણ જુદા જુદા સમયે ’ચોર્યાસી’ નામનો યજ્ઞ પંડીતો પાસે કરાવેલ અને આ યજ્ઞ સમયે જેતપુરની વસતી અંદાજે ૩૦ હજારની હોવાનું મનાય છે. આ રાન પરિવારનું નિવાસસ્થાન વિક્રમશીબાપુના ગઢથી પ્રખ્યાત હતો જે આજે પણ સ્વામીનારાયણ મંદિરની સામે આવેલો છે. દરબાર સાહેબ દવારા નિર્માણ મહેલ, શિવાલયો, મંદિરો, ધર્મશાળાઓની યાદી ઘણી છે. આ બધી જ સખાવતો પ્રજાપર્ણ તે સમયે કરવામાં આવેલી.

સ્થાપત્ય

દરવાજા અને બારીઓ

એક કાળે જેતપુરમાં ગઢને ફરતે કુલ પાંચ દરવાજા અને બે બારીઓ હતી. જેમાં

૧) ગોંડલ દરવાજો - જયાંથી ગોંડલ તરફ જવાતું,
ર) ધોરાજી દરવાજો - જયાંથી ધોરાજી તરફ જવાતું,
૩) નવો દરવાજો - ત્યાંથી મોઢવાડી અને ભમરીયા તરફ જવાતું,
૪) જૂનાગઢ દરવાજો - જગાવાલાના પરા પાસે જૂના મહાજનવાડા પાસે હતો.
પ) બોખલો દરવાજો

આમ કુલ પાંચ દરવાજા હતા. તેમજ ચાંપરાજની બારી અને લક્ષમણવાળાની બારી એમ બે બારીઓ હતી.

પરા

   જેતપુરને ફરતે બાર પરા હતાં. તેમાં પાંચ મોટા અને સાત નાના પરા હતાં. તેમાં ભીલપરું, ખીજડાપરું, કંગાલપરું, ખોડપરું, જગાવાળાનું પરું , બાવાવાળાનું પરું, સુરગવાળા પરું, લખુભાઈ પરું, નાજાવાળા પરું, કુંભારપરું, ખાંટપરું એ મુખ્ય પરા હતાં.

રેલ્વેનો પુલ

    જેના કાંઠે જેતપુર વસેલું છે તે પુરાણ પવિત્ર ભાદર નદી (ભદ્રાવતી) એ બીજી નદીઓ કરતાં મોટી નદી હતી અને હાલ આ નદીમાં જયાં રેલ્વેનો પુલ છે તેની પાસે એક મોટો ધોધ હતો અને તેના પાણીના જોરથી કપાસ પીલવાના ત્રણ ચરખા ચાલતા. તેને જળચકકી કહેતા. ત્યાંથી છેક કુતિયાણા સુધી નદીમાં વહાણો ચાલતાં અને તે દવારા વેપાર તેમજ મુસાફરી થતી.
      ભાદર નદી ઉપર જે રેલ્વે પુલ આવેલો છે તે દરબાર સાહેબશ્રી મુળુવાળા સાહેબના સમયમાં બંધાયો હતો. જેના ખર્ચમાં દરબાર સાહેબ ઉપરાંત ગોંડલનાં સર ભગવતસિંહ બાપુ તેમજ જુનાગઢનાં નવાબ સાહેબનો પણ ફાળો છે. આ પુલનુ ઈજનેરી કામ કરનાર રોબર્ટ બુથ નામનાં અંગ્રેજ હતાં. ઈ.સ. ૧૮૭૪માં આ કાર્યની શરૂઆત થઈ હતી. એ પુલ આજે પણ હયાત છે.

સૂર્ય મંદિર

    જેતપુરના દ. : શ્રી મુળુવાળા સુરગવાળા (સી.આઈ.ઈ.) પ્રજા વત્યલ્ય રાજવી અને સૂર્ય ઉપાસક હતાં. કાઠી ક્ષત્રિયો આદી અનાદીની પ્રાચીન સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય, સુર્ય પૂજા કરવા માટે ઈ.સ. ૧૯૧પની આસપાસ રાજકોટ રોડ, ધારેશ્વર પાસે બંધાયેલું આ ધારેશ્વર સુર્યમંદિર વાળા વંશના રાજવીઓને રાજાશાહી યુગનું નજરાણું ગણી શકાય તેવો બેનમૂન સ્થાપત્ય કલાનો આ વારસો છે. આ મંદિર બાંધકામ માટે રબારીકા ગામની ખાણોનાં પથ્થરો વડે નિર્માણ થયેલ છે. આ પથ્થરોમાં લુણો લાગતો નથી, તથા ઉતમ કોતરણી છે.
     દ.: શ્રી મુળુવાળાએ આ સૂર્યમંદિર બાંધતાં પહેલા ભૌગોલિક બાબતોનો ખાસ ખ્યાલ રાખેલ હતો કે, આ દેવળ માહેની બિરાજમાન મુર્તિઓ ઉપર શ્રી સૂર્યનારાયણ ભગવાનનાં પ્રથમ કિરણો પડે તે માટે સુર્ય ગતિ તથા ધરતીની ઉંચાઈ ચોકકસ પ્રમાણસર રાખવામાં આવેલી છે. તે સમયે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાજય જયોતિષ વેદ અભ્યાસુ સ્વ. દલપતરામ જોષીનાં શાસ્ત્રોકત પઠનવડે કરવામાં આવેલ. આ સુર્યમંદિરનાં ગર્ભ ગ્રહ માહેની તે સમયની મૂર્તિઓમાં સાત ઘોડાઓના રથવાળી આરસની મૂર્તિઓ હતી. તથા મંદિરનાં બહારનાં - અંદરનાં ભાગે અનેક મૂર્તિઓ પથ્થરની છે.જે દરેકની નીચે નામ કોતરાયેલા છે. જેમાં વાલખીલ, ચિંતામણી, શોકમણી વિગેરે જેવાં શાસ્ત્રોકત અર્થસભર નામો કંડારાયેલા છે.

- Sagarbhai Sarteja (vahivancha barot ) Saurashtra

राजपूत के नाम के पीछे सिंह क्यों लगता है

राजपूत के नाम के पीछे सिंह
क्यों लगता है?

इस युग में राजपूत को शेर इस लिए
कहा गया है
की वो "अघोषित विजेता" है
क्योकि शेर अपने
प्रहार करने
की क्षमता शक्ति के बल पर राज
करता है उसे
किसी के चुनाव की जरुरत
नहीं पड़ती,ठीक
राजपूत
भी वही है
जो अपनी लड़ने
की क्षमता सोर्य और साहस के दम पर
विजय प्राप्त
करता है, और पुरे विश्व में एक राजपूत
कोम
ही ऐसी है जिसके नाम के
पीछे सिंह लगता हैं ..
♚ हम राजा हैं हमें शराफत से राज करने
दो.......

अगर हम महाराजा बनें तो,,.हर दुश्मन
का जीना हराम कर देगें ♚...!!!

जब हम सिंहासन पर बैठते है तो,राजा कहलाते
है !
जब हम घोङे पर सवार होते तो,
योध्दा कहलाते है !
जब हम किसी की जान बचाते
है तो, श्रत्रिय
कहलाते है!
जब हम किसी को वचन देते है
तो "राजपुत"
कहलाते है !
" मेरा कत्ल कर दो
कोई शिकवा ना होगा,
मुजे धोखा दे दो
कोई बदला न होगा,
पर अगर जो आँख उठी मेरे वतन ए
हिन्दुस्तान
पे,
तो फिर
तलवार उठेगी और फिर कोई समझौता न
होगा...!! "

हमारी शक्सियत का अंदाज़ा तुम
क्या लगाओगे गालिब..,
के हम तो कब्रीस्तान से
भी गुज़रते है तो मुर्दे
उठ
कर कहते है...
"जय माताजी जी बना"
सर पे हे केसरिया साफा '
मुख पे हे सोने सी आभा'
जब हाथ मे लेते हे' तलवार
दुनिया करती हे '
कोटि कोटि प्रणाम'
अपनी माँ के सच्चे पुत '
इसलिए कहते हमको क्षत्रिय राजपुत'
जो मचछर से डर जाता है,
उसका खून भी लाल होता है।
जो शेर से लड जाता है,
उसका खून भी लाल होता है।।
लेिकन एक अजब खून का
जलवा तो गजब पुत का होता है!!
जो मौत को भी ललकारे वो खून
राजपुत का होता है !
जमाने ने राजपूतो के उसूल तो बदल दिए"
पर
"खून और दादागिरी आज
भी वो ही है.. ।।
झुंड मे रहने वालो आजमा कर
देखना कभी हमारी छाती पर
फौलाद
भी पिघलता है।
शेर सा जिगरा है "राजपूत"
हमेसा अकेला निकलता है।
गुलामी तो हम सिर्फ अपने माँ बाप
की करते
है .!!
दुनिया के लिये तो कल भी बादशाह थे और
आज
भी..!!

राजपूत उस बारिश का नाम नही जो बरसे और
थम जाये।
राजपूत वो सूरज नही है जो चमके और
डुब
जाये।
राजपूत नाम है उस साॅस का।
जो चले तो जिंदगी और थमे तो मौत बन
जाये।...........

अभी तक हम इतने
भी मामूली नहीं हुए...."
कि.....
किसी के दिल में बसना चाहे और वो इनकार
कर
दे...."

जो मिटा सके हमारी शोहरत के पन्ने.......
वो दम किसी में कहाँ.
शूक्र है तलवारें म्यान के अन्दर है वरना.
जो टिक
सके हमारें सामने वो सर कहाँ !!!
रानी नहीं तो क्या हूआ..
यह राजा आज
भी लाखों दिलों पर राज करता हैं.!!
बंदुक और तलवार जैसै खिलेोने बाजार मे बहुत
बिकते है ।।
पर उसे चलाने का जिगर
दुिनया के किसी भी बाजार मे
नही बिकता ----->

"मदॅ" उसे लेकर पैदा होता हे.... ॥

किसी ने पुछा
राजपूत
की जनसंख्या इतनी कम
क्यों है ???
राजपूत ने उतर देते हुए कहा - यह
प्रकृति का नियम
है यदि शेरों (राजपूत)
को बढा दिया जाए
तो दुसरी प्रजातियाँ खतरे मे पड़
जाएगी ।।
कोशिश तो सब करते है, लेकिन सबको हासिल
ताज नही होता ।
शोहरत तो कोई भी कमा ले, पर
बन्ना वाला अंदाज नही होता ।
उस दिन भी कहा था
आज भी कह रहा हु...
"उम्र छोटी है लेकिन
जज्बा दुनिया को मुट्ठी में
रखने का रखता हूँ
मेरी दोस्ती का फायदा उठा लेना क्युंकी
मेरी दुश्मनी का नुकसान सह
नही पाओग.....

हथियार तो सिर्फ शौक के लिए रखा करते है,
वरना किसी के मन में खौंफ पेदा करने के लिए
तो बस "नाम"
ही काफी हे.........
लोग कहते है तुजे तेरी "
बन्ना गीरी"
एक दिन मरवायेंगी...
मैने प्यार से कहा- क्या करु ?
सबको " बन्ना गीरी
आती नही और
मेरी जाती नही !......

..सिंह का मुखोटा लगाकर कोई शेर
नहीं बनता...

भाला उठाकर कोई राणा प्रताप
नहीं बनता...

रणभूमी में पता चलता हे योद्धाओ का...
मुछो की मरोड़ी लगाने से कोई
राजपूत
नहीं बनता...

कुछ हुनर खून में होते हे सिखाये
नहीं जाते...

यु दंड बैठक लगाने से कलेजा राजपूत
का नहीं बनता..,,,,

कुँवर विकृम सिंह ठिक

- Divyarajsinh Sodha (WhatsApp Massage)
 

સિંહનું દાન ( ઝવેરચંદભાઈ મેઘાણી )

" સિંહનું દાન  ( ઝવેરચંદભાઈ મેઘાણી ) "

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ  ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના ચાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં. પરંતુ મૂળી દરબાર ચાંચોજી લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા.

હળવદ અને ધ્રોલ દરબારને ચાંચોજીની  ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાંચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા, હળવદ દરબારને પોતાના દસોંદી ચારણનો વિચાર આવ્યો કે દસોંદી ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે, હળવદ દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે, પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ.

ચારણ કહે:  ભા એતો “પરમારનો વંશ હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે બાપ,

દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહી, અને ના પાડવી પડે.” ચારણ હા ના, હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા.

ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરો.”

“બાપ ! તમથી નહિ બને.”

“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર મારી નહિ એની ધજા ફરકે છે, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી, મારો ધણી માંડવરો અને મારી લાજ તો  એની લાજ,,

" કવિરાજ બોલો માંડવરાજ લાજ રાખશે."

“અન્નદાતા, મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈયે નથી જોઈતી,  અને તમારા લાખપશાવ પણ ન ખપે, પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો,,,,"

“તમ તારે.. જે માગવું હોય તે માગો કવિરાજ ”

ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :-

" અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !! "

અર્થાત: કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.

“સાવજ”  આખી સભાનો અવાજ ફાટી ગયો.

હા, હા, જીવતો સાવજ ” ચારણે લલકાર કર્યો :

" જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર ! "

અર્થાત: કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કોઈ પોતાના માથાં ઉતારી આપે, પણ,, હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું.

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી :-  “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માને છે કે ?”

પણ, ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :

" ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર ! "

અર્થાત: તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવ દાન દેજે, પણ મને તે,,, હે પારકર પરમાર, સાવજ જ ખપે.

“ ગોઝારો ગઢવો ”

સભામાં સ્વર ઊઠયો, ગઢવીએ ચેાથો દુહો ગાયો,

" દોઢા રંગ તુંને દઉં,  સોઢા બુદ્ધિ સાર,
મોઢે ઉજળે દે મને, પારકરા પરમાર ! "

અર્થાત: હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.

ચાંચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું :-  “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”

મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”

દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”

બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”

પરમારના ચારણોએ  બિરદાવળી ઉપાડી :

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી :

“લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”

ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”

સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,
પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !

સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :

" ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી. "

ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !

સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે  : “ જાઓ, વનરાજ ! આજે પરમારો અને આ મૂળી રાજની  લાજ રાખી બાપ....

” સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠયા આ તો  માંડવરાજ પોતે જ આવ્યા હતા..!!

- આભાર

સૌરાષ્ટ્ર રસધાર

આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

અખિલ ભારતીય કાર્યકર્તા મહા અધિવેશન ની માહિતી પત્રિકા.

ઉજ્જૈન કુંભ અવસરદરમ્યાન યોજાનારી અખિલ ભારતીય કાર્યકર્તા મહા અધિવેશન નીચાર પેજ ની માહિતી પત્રિકા.






- માહિતી આપનાર (સતીષભાઈ બારોટ અમદાવાદ)


Barot Samaj Ni Meeting Unjha Kadva Patidar Samaj Mate

Aj ni kadava patidar samaj ni vahivancha Barot samaj ni parishad badal rajanibhai ane manikaka ne koti koti vandan ke jemane aa vichar avyo parishad na ante bane tarafathi 11vyakati ni kamiti banavi agami ayojan mate vicharava ma avashe jeno udesh sarthak thay temaj bandh padela patidar gam barot samaj no svikar kare Man ape tej shubhechha sathe sathe farithi svikar karela patidar samaj pase thi Apana bhaio ne vadhu sikh male ke na male parantu te samaj pase raheli Sammy baddhta(punctuality)
Ke jena thaki temano samaj pragati kari rahyo chhe je apana samaj ma avashe to apana samaj ni pragati koi roki nahi shake jay hingalaj.

Temaj patidar samaj no mukhy vyvsay kheti hova chhata pura samaj na 25% loko j tena par nirbhar chhe bakina 75% any vyavsay ma hovathi samaj pragati kari rahyo chhe tenu bilakul ulatu apana samaj ma chhe apne 75% apna mul vyavasay ma chhiye jyare 25% any vyavasay ma chhiye te gun Pan apana ma kelavashe karan jevo sang evo rang jeavu ann eva odakar.

- Shardulbhai Barot Vishnagar



 

























Photos By - Kalpeshbhai Barot Vishnagar

 
Design and Bloggerized by JMD Computer