Web Site Designing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Mobile Application Designing and Developing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
E-Commerce Website Development
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Wednesday 5 January 2022
બારોટ ના ચોપડા એ ગુગલ ને પાછળ છોડ્યું ??
Thursday 15 July 2021
मुगलों को महान बतलाने वाला नकली इतिहास
Friday 27 May 2016
Chaar Jug Na Bhaat (Barot)
Aano Ullekh Gnankosh Na BHA-8 Ane PA-74 Uperthi Pan Male Chhe
Lavang Ane Valansh Barot :- Satyug Ma Chandi Pase Hata
BhimShen Barot :- Sheshnaag Pase Hata
Panag ane Lomas Barot :- Tretayug Ma Baliraja Pase hata
janak Ane Rangpal Barot :- Raja Ram Pase Hata
Bhramar Barot :- Je Shankar Pase Hata Ane Shankar Bhagvan Ne Prashnn Karya Hata
Pingal Barot :- Jene Naag Pingal nae Chhandogy , Ane Aapde Kavita Shikhvane Je Kahiye Chhiye Ae Pingal Shasshtra lakhelu Chhe
Harshan Barot:- Jene Darek Shashtr bhanavya Chhe
Sumati Ane Vimati Barot :- Raja Janak Na Darbar Ma Hata
Sanjay Barot :- Je Pandavo Pase Hata
Vaital barot :- Je Raja Vikram Pase hata Ane Vikram Raja Na Darbar Na Nav Ratno Ma Kavi Vaital Barot Pan Hata
Vidhyamal Barot :- Raja Bhoj pase Hata
Chand Barot :- Pruthviraj Chauhan Pase Hata
Shreekanth Barot :- Kanoj Na Jay Chand Pase Hata
Janak Barot :- Chandl Parmar Pase Hata
Kankalji Barot :- jagdev parmar Pase hata
Satta Barot :- Shalivaahan Pase Hata
Narhari, Gang , Holrav Ane Karan Barot :- Akabar Pase Hata
Vijay Barot :- Rana Pratap Pase Hata
hanshRaj Barot :- Lakha Fulani Pase Hata
Lalo , Langad, Dagal , Meshan , Ane Shankar Barot :- Sidhraj pase Hata
Malvan Barot :- Je Hamir Chauhan na Darbar Ma Hata
Balvan Barot :- Jene kachh Ma Maval Sabani Ne Tya Vidhyavad Karyo Hato
Giridhar Barot :- Panchal Na Raja jayshikhri Pase Hata
अकबर पासे बीरबल पण बारोट हता तेमनु साचु नाम महेशभाण बारोट हतु
Saturday 21 May 2016
‘આહીર’ આભીર ' ભારુયાડ' કે 'ભરવાડ 'શબ્દની ઓળખ
આહીર એટલે અહિ + ઈર એટલે અહીર જેનો અર્થ થાય છે, અહિ(નાગ)ને ધ્રુજાવનાર(ઈર) એટલે આહીર. અન્ય મત મુજબ ગુજરાતી ભાષામાં ‘ર’ પ્રત્યય સાથે રહેનાર માટે લાગતો હોય અહિ(નાગ) સાથે રહેનાર આહીર કહેવાયા. જેમ કે લોહા સાથે રહેનાર લોહાર, સોના સાથે રહેનાર સોનાર, કુંભ સાથે રહેનાર કુંભાર વગેરે. આ ઉપરાંત અહીર શબ્દ સંસ્કૃત શબ્દ ‘અહૈરી’ પરથી ઉતરી આવેલ હોય ‘અહૈરી’ એટલે શિકાર કરવો એવો તેનો અર્થ થાય છે. જોકે આ મંતવ્ય આહીર કોમની રહેણીકરણી જોતા બંધ બેસતું લાગતું નથી.
ચંદ્રવંશી રાજા નહુષ બ્રાહ્મણોથી શ્રાપિત થતા સર્પયોનીમાં પડ્યા. જ્યાં પાંચ નાગકન્યાઓ સાથે લગ્ન કરતા તેના અહીનંદ નામે મહાપ્રતાપી પુત્ર નાગલોકમાં મોટા થતા તેના વંશજો અહીર કહેવાયા.ભગવાન શ્રીકૃષ્ણે કાલીય નાગને નાથતા તથા શેષનાગના અવતાર શ્રીબલરામ સાથે તેઓ રહેતા હોય તેઓ અહીરનંદ તરીકે પણ ઓળખાય છે. આહીર શબ્દ ‘આભીર’ પરથી ઉતરી આવેલ હોવાનું પણ એક મંતવ્ય જોવા મળે છે. આભીર એટલે આભા (પ્રભાવ)ને ‘ર’નો પ્રત્યેય લગાવતા આભીર થતા ભીરૂતા વગરના નિર્ભય યદુવંશીઓ આભીર કહેવાયા.
હકીકતમાં ગોવર્ધનપૂજા વખતે આભ(વાદળ)ના દેવ ઇન્દ્રને હરાવનાર શ્રીકૃષ્ણ વિશેષ આભા (પ્રભાવ) વાળા ગણાયા. એટલું જ નહીં ઇન્દ્રના કોપરૂપે વરસતા બારેમેધની પણ પરવા ન કરનારા ગોકુળના યાદવો ભય વગરના ગણાતા આભીર ગોપ કે ભરવાડ (ગોવાળીયા) ગોપાલ તરીકે ઓળખાયા. યદુવંશી યાદવો અને નાગ પ્રજા સાથે રહેવા ઉપરાંત જરૂર જણાયે નાગ પ્રજાને યુદ્ધમાં ધ્રુજાવતા યદુવંશીઓ અહીર તરીકે ઓળખાયા હોવાની વાતને વિશેષ સમર્થન મળે છે.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદે ઇ. સ. 1937માં પ્રસિદ્ધ કરેલ સાર્થ જોડણીકોશમાં આહીર શબ્દને પુ. ગણી સંસ્કૃત શબ્દ આભીર ઉપરથી ઉતરી આવેલો ગણાવેલ છે, જેમાં આહીર એટલે ‘હીર’ વાળી કોમ કે પ્રજા ગણાવી તેનો અર્થ માં હીર(હિર નહીં) એટલે સત્વ, સંત, દૈવત, વિર્ય, પ્રેમ, હિંમત, નૂર, શાખ, રેશમ, કિંમત, પાણિ-બળ, તેજ, કીર્તિ, ક્રાંતિ વગેરે દર્શાવી આહીર શબ્દની ભવ્યતા દર્શાવી છે. જોકે આજકાલ અંગ્રેજી જોડાક્ષર ‘AHIR’ પરથી આંધળું અનુકરણ કરી ગુજરાતી બારાક્ષરી પ્રમાણે ‘આહિર’ લખનારા આહીર શબ્દની ગરિમા ન જળવાતા ગૌરવભંગ કરે છે. તેથી આવા ભૂલ ભરેલ શબ્દ પ્રયોગથી આહીર શબ્દનું ગૌરવ જળવાતું ન હોઈ ખોટી શબ્દ જોડણીથી દૂર રહેવું જોઈએ.
ગોંડલના રાજા ભગવતસિંહજીએ રચેલ ‘ભગવત્ ગો મંડળ’માં આહીર શબ્દ સંસ્કૃત ભાષાના આભીર શબ્દ ઉપરથી ઉતરી આવેલ હોવાનું ગણાવી શ્રીકૃષ્ણ સાથે મથુરાથી નીકળી પંચનદ પ્રદેશ, સિંધ થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં આવી વસેલી પ્રજા આહીર, ગોપ, ભરવાડને ગણાવેલ છે.
આભ (વાદળા)ના દેવને ધ્રુજાવી દેનારા ઇન્દ્રની અમાપ શક્તિ સામે અભય, નિર્ભય, ભીરૂતા વગરના શ્રીકૃષ્ણના આધારવાળા વ્રજવાસી ગોપ આભીર કે ભરવાડ કહેવાયા. તો કેટલાક યદુવંશી પ્રજા સમુહે લોકોથી દૂર પશુપાલન અર્થે વનવગડાઓમાં પશુઓ સાથે રાતના કે સંકટ સમયે વાડોમાં ભરાયને રહેતા તે ભારૂયાડ કે ભરવાડ (વાડમાં ભરાયને રહેતા) તરીકે ઓળખાયા હોવાનું માનવામાં આવે છે.
શ્રીમદ્ ભાગવત તથા વિષ્ણુ પુરાણ મુજબ પહાડોરૂપી વાડથી પશુઓનું રક્ષણ કરતા હોય સંભવ છે વનવગડામાં પહાડોરૂપી વાડ વચ્ચે નેસડાઓ બનાવી યદુવંશીઓ કાળક્રમે બોલચાલની(પ્રાકૃત) ભાષામાં વાડોમાં ભરાઈને રહેનારા ભરવાડ તરીકે ઓળખાયા હોય એવુ મનાય છે.
આહીર, અને ભરવાડ સામાજીક રીતે એકબીજા સાથે સામાજીક રીતે સંકળાયેલા હતા, તે અંગેનો ઐતિહાસીક પુરાવો વાળીનાથ મહાદેવ, થરા ખાતે થયેલા સમૂહ લગ્નના બારોટોના ચોપડામાં થયેલા ઉલ્લેખો પરથી જોવા મળે છે.
આભીર/ત્રૈકૂટક સંવત 1165માં વાળીનાથ થરા મુકામે બ્રાહ્યણ અને યજ્ઞની સાક્ષીએ જસરાજ ઝાઝાવડાના પ્રમુખ સ્થાને આહીર, અને ભરવાડ જ્ઞાતિએ સાથે મળી સમાજીક નિયમો બનાવી જાહેર કરવા સાથે વાળીનાથ મહાદેવ, થરામાં આહીર, અને ભરવાડે એક માંડવે સમૂહલગ્નનું આયોજન કરેલ.
આસો સંવત અગીયાર સાલ પાંસઠ સવે; માસ વૈશાખ મધે તિથિ એકાદશી તવે. રેવતી નક્ષત્ર વાર રવિ મહાજગન મંડે; એકસોને વિપ્ર આઠ ખોજ ખેડાવા ખંડે.
પંચ કર્યો પરિયાણ પાણ એમ સહુ ઓચરે; સવાસોમણ ગ્રથ ધારા પર ઝાઝો હવન ધરે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં ઇસુની બારમી સદીની શરૂઆતમાં રચેલ ‘દ્દયાશ્રય’ ઇતિહાસ કાવ્યમાં વનરાજ ચાવડા વનવગડામાં ભરવાડો સાથે ઉછરી મોટો થયેલો. તથા તેના મિત્ર તરીકે અણહિલ્લ આભીર(ભરવાડ )ને તેનો મિત્ર દર્શાવેલ છે. વનરાજ ચાવડાએ સત્તા પ્રાપ્ત કરતા આભીરો અને મિત્ર અણહીલ્લ ભરવાડ નું ઋણ ચૂકવવા પોતે વસાવેલ શહેરનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું. આચાર્ય જીનપ્રભસૂરીએ ઇ. સ. 1241 રચેલ ‘વિવિધતીર્થકલ્પ’ ગ્રંથમાં અણહિલપુર પાટણની સ્થાપના અંગે વનરાજ ચાપોત્કટે વિક્રમ સંવત 802માં અણહિલ્લ ગોવાળે પરીક્ષિત કરેલા પ્રદેશમાં લખારામ ગામના સ્થાન ઉપર અણહિલપુર પાટણ વસાવ્યું તેમ જણાવે છે. જયારે અણહિલપુર પાટણની સ્થાપના પછી આશરે સાડા પાંચસો વર્ષ પછી ઇ. સ. 1305માં આચાર્ય મેરૂતુંગાચાર્યએ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં રચેલા પ્રબંધચિંતામણી ગ્રંથમાં આ શહેરના સ્થાપક વનરાજ ચાવડાના મિત્ર અણહિલ્લને આભીર કે ગોપાળની જગ્યાએ ‘ભારૂયાડ’ કે "ભરવાડ "તરીકે વર્ણવેલો જોવા મળે છે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ ઇસુની 12મી સદીની શરૂઆતમાં અણહિલ્લને આભીર, આચાર્ય જિનપ્રભસૂરિએ ઇ.સ. 1241માં અણહિલ્લને ગોવાળ અને ઇ.સ. 1305 આચાર્ય મેરૂતુંગાચાર્યએ તેને ભારૂઆડ તરીકે ઓળખાવ્યો છે. આમ આભીર, ગોવાળ , ભરવાડ કે ભારૂયાડ અંગે સંશોધન થાય તો અનેક નવી જાણકારી મળે તેમ છે.
આમ આહીર અને ભરવાડ એક જ મગ ની બે ફાડ છે આહીર અને ભરવાડ સમય નો શિકાર બની અલગ પડેલી કોમ છે
આહીર અને ભરવાડ ના રંગ રુપ બાંધણી એક મેક ને મળતી આવે છે
લેખક :
- અમરૂભાઇ રેણુકા રાજુલા (Whatsapp)
- જયંતિભાઈ આહીર
Sunday 20 March 2016
भीष्म पितामह ने शराब और माँस के बारे मे क्या कहा ?
भीष्म पितामह जैसा व्यक्ति क्षत्रियो मे न आज तक पैदा हुआ और ना होगा सा।
1-जिसने 300 अश्वमेघ यज्ञ करवाये हो।
2-श्रीक्रष्ण ने जिनको ज्ञान का सूर्य कहा हो।
3-जिनके पास ईच्छा मृत्यु का वरदान था सा।
4-जिसने आजीवन ब्रह्मचर्य व्रत पालन कि अखण्ड प्रतिज्ञा निभाई।
5-महा भारत का युद्ध 18 दिन चला,जिसमे भीष्म पितामह 9 दिन लडे।एक दिन के 10000 योद्धा काटे
9 दिन मे लगभग एक लाख योद्धा काटे और सब को स्वर्ग मिला हम से तो बन्ना एक दिन मे दस हजार गाजर मूली भी नही कटे सा।वह हमारा पुरखा भीष्म पितामह शराब और मांस के बारे मे कहता है सा
1-मांस खाने से पाप लगता है और शराब पिने से महापाप लगता हैपाप का प्रायश्चित है लेकिन महापाप का कोई प्रायश्चित नही है।2- सुरा [शराब] के स्पर्श अनाज और झूंठा खाना, खाने लायक नही होता है।
अनाज कि बोरी के शराब कि बोतल स्पर्श हो जाय तो उस अनाज को खाना नही चाहिए, उसको फेक देना चाहिए।3- मांस, मछली, अण्डा,
आसव और तिल मिले चावल ध्रुतो द्वारा प्रचलित खाना है।
4-दुषित [तामसिक] आहार करने वाला ब्रह्मचर्य व्रत का पालन नही कर सकता।
क्योकि हम जो भोजन करते है उससे रस बनता है रस से खुन बनता है खून से मांस बनता है मांस से हड्डी बनती है हड्डी से मज्जा बनती है मज्जा से वीर्य बनता है शुद्ध वीर्य मनोहवा नाडी से दोनो भ्रकुटिया के बीच मे चला जाता है जिससे ओज बनता है और औज से तेज बनता है।हमारे पुरखे सात्विक खाना खाते थे जिससे उनके चेहरे पर तेज रहता था।
तेज यानी जिसके चेहरे को देखकर दुश्मन भयभीत हो जाये।और जो अशुद्ध वीर्य [रस] होता है उसको हमारे प्राण ग्रहण नही करते है और वो वीर्य हमारे शरीर मे ही धुमता रहता है। इसलिए लोगो मे वासना जाग्रती अधिक है।
इस अशुद्ध खान पान के कारण वासना, बलात्कार, दुस्कर्म हो रहे है।
इसलिए भिष्म पितामह ने कहा है की अशुद्ध खान पान [तामसिक] वाला व्यक्ति ब्रह्मचर्य व्रत का पालन नही कर स कता।यह सब बाते वह कह रहा जिनको भगवान क्रष्ण ने "ज्ञान का सूर्य कहा है।" और लोगो ने हमारे दिमाग मे यह बिठा दिया कि ठाकूर तो ठेठ से ही खाते पिते आ रहे है।इसमे बिलकुल भी सच्चाई नही है सा।अगर हमको पहले गौरव वाला मान, सम्मान पान है तो वास्तविकता को अपनाना पडेगा और सात्विकता को अपनाना पडेगा,सत्य बोलना पडेगा और हमारे सती, भोमिया और झुंझार मे पूर्ण आस्था और विश्वास रखना पडेगा सा। "जय क्षात्र धर्म "
- Sagarbhai Sarteja (vahivancha barot) Saurashtra
બારોટ શબ્દ ક્યાંથી આવ્યો?
ભારતમાં જે ‘દિ’ લોકશાહીનો ઉદય થયો, ત્યારે રાષ્ટ્રીયતાનો વિકાસ થયો અને વર્ગો તેમજ રીત-રિવાજોથી સર્જાયેલા ઉચ્ચ-નીચના ભેદો જ સામાજિક અસમાનતાના ઘાતક અને રાષ્ટ્રની પ્રતિજ્ઞા અવરોધ બનતા પશ્ચિમના સામ્યવાદે અને મહાત્મા ગાંધીજીના સર્વોદયવાદે બિન સાંપ્રદાયક સમાજની રચનાના વિચારો આપ્યા અને એમાંથી જ લોકશાહી સમાજવાદનો જન્મ થયો
આપણે વાત અહી વાત કરવી છે બારોટની.
ભાવનગર માલદાનભાઈ એચ. બારોટ લખે છે કે, વેદ્પુરણમાં એક એવી પણ વાત છે કે, દેવોની આઠ જાતિ હતી તેમાં વિધાધર એક જાતિ હતી.વિધાઓંને જે ધારણ કરે તે વિધાધર.પાછળથી વિધાઓ, સૂત, પોરાણિક,માગધ બંદીજન જેવા નામે ઓળખતા. મધ્યયુગ સુધી આમ ચાલ્યું.મહાભારતકાળમાં મહાભારતનું યુદ્ધ થયું તેની રનીગ કોમેન્ટ્રી સંજયને સોપાઈ.શ્રીકૃષ્ણ જેવા બુદ્ધિશાળી નેતા આ કામ અન્ય કોઈએ સોંપી શક્યા હોત છતાં સંજયને સોંપવામાં આવ્યું.જો અન્યને સોંપ્યું હોત તો સંજયના યુદ્ધ વર્ણનની કળા સામે બીજા કોઈપણ ફીફા લાગત.આ રીતે મધ્યયુગના પ્રથમ અવશેષ એવા કવિ ચંદ કે જેઓ જવાળામુખીની સ્તુતિમાં અનેક સ્થળે બંદીજન શબ્દ વાપર્યો છે. એ જ વાત પુરવાર કરે છે કે, આજના યુગમાં જેમ વાર્તાકારો અને ગાયકોના બે જુદા જુદા વર્ગ છે તેમ જુના જમાનામાં પણ વાર્તાકારો, કથાકારો, પોરાણિક કહેવાતા.જયારે ગાયકો બંદીજન કેહવતા.સંજય પહેલા વર્ગના હતા જયારે ચંદ બીજા વર્ગના હતા.પણ વાસ્તવમાં તેઓ જાતિની દ્રષ્ટીએ એક હતા.
મધ્યયુગમાં ક્ષેત્રીય રાજ્યો હતાં વિધાધરો તેને આપ્રયે રેહવા લાગ્યા તેમાં કોઈ વાર્તાકાર તારીખે કોઈ વળી કવિ તરીકે.ઉપદેશક જાતિ હોઈ,પાછળથી તેઓ બ્રાહ્મણો સાથે ખપ્યા.છતાં રજપૂતો સાથેના આહાર-વિહાર અને જરૂર પડ્યે યુધની કામગીરી પણ કરતા હતા.તેથી ‘બ્રહમભટ્ટ’ તરીકે ઓળખાયા તેમ છતાં બ્રાહ્મણો સાથેનો તેનો વહેવાર ચાલુ રહ્યો.
અહી બ્રાહ્મણો બ્રાહ્મણોના અર્થમાં અને ‘ભટ્ટ’ શુરવીરના અર્થમાં હતો, પણ બ્રાહ્મણોને આ લાંબેગાળે ન રૂચ્યું અને ન રૂચે તે સ્વાભાવિક છે.એટલે ‘બ્રહમભટ્ટે’ બ્રાહમણોથી જુદા પડતા વિધમાં ઓટ આવવા લાગી આથી ‘બ્રહમભટ્ટે’ શબ્દમાંથી પાછલો ‘ભટ્ટ’ શબ્દ અપભ્રંશ થઈને ભાટ થઇ ગયો.
મધ્યયુગના અંતમાં તો ‘બ્રહમભટ્ટ’ શબ્દ લગભગ વિલીન થઇ ગયો માત્ર ભાટ શબ્દ રહ્યો.બ્રાહ્મણો સાથે તેનો સબંધ માત્ર જનોઈ ધારણ કરવા પુરતો અને ચોર્યાશીમાં જમવા પુરતો રહ્યો.
પરંતુ આપણી તો મૂળ વાત છે બારોટ શબ્દની.આ બ્રહમભટ્ટ, ભાટ, દવારભટ, બ્રાહમણ આ શબ્દોમાંથી જ બારોટ શબ્દ ઉત્પન્ન થયો છે તેવું માનવામાં આવે છે. આ પુરાણિક વાતમાં પુરાણો અને ઇતિહાસના આધારે કાશીએ ભણેલા મહુવાના વતની કર્મકાંડી અને વેદાંતાચાર્ય પ્રજાપતિના બારોટજી અદાપુરાણીના લખે છે કે,બ્રહમાના કપાળમાંથી કવિ ઋષી ઉત્પન થયા જેને માતા સરસ્વતીએ ભણાવ્યા તેથી તેને ચારે વેદ ખટ શાસ્ત્ર અને અઢારેય પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થયું.
કુંભણના કવિ (હાલ મહુવા) અમરૂદેવ બારોટ કવિ ‘શ્રીકુંભ’ બારોટ લખે છે કે,અદાપુરાણી માતા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન કરતા લખે છે કે,માતા સરસ્વતી છ મુખ છે. છ મુખના બાર હોઠ થાય છે બારહોઠનું અપભ્રશ થતાં તેમાંથી બારોટ શબ્દ થયો હોય તેવું મનાય છે.આ મુખમાંથી નીકળેલી અદભુત વાણી કવિ ઋષીએ કંઠસ્થ કરી આ શબ્દ વિધાને એટલે કે માતાજી બારેય હોઠથી નીકળી વાણીને સમાજમાં પ્રવાહીત કરતા કવિ ઋષી બારહઠ કહેવાયા અને આ બારહઠનો બારોટ શબ્દ પ્રાયોજિત થયો જેને આજે એક જ્ઞાતીનો દરજજો મળ્યો છે.
ભાષા સાહિત્યની દ્રષ્ટીએ બારહઠનો અર્થ દવારભટ્ટ પણ થાય છે.તેથી એ બ્રહ્મભટ્ટ કહેવાય અને આ બ્રહ્મભટોની નવ શાખા થઇ જે નાવકટારીના ભાટ કહેવાયા છે.દવારભટ્ટની જેમજ ચારણો માટે ગઢવીર શબ્દ વપરાતો હતો અને તેનો અર્થ પણ દવારભટ્ટ જ થાય.
કોઈ એમ કેહ્તું હોય કે, બારહઠનું બારણામાં બેસી હઠ કરનાર જાતિ એવો અર્થ કરે છે. પણ તે બરોબર નથી.ભાટો મૂળ બ્રાહ્મણો હતા એટલે સત્યપ્રિયત્વ તે તેઓ જાતિ સ્વભાવ હતો ક્ષેત્રીયોના તેમાં દ્રઢતા ભળી એટલે તેઓ સત્ય માટે મૃત્યુ પસંદ કરતા.કેટલાક આચરણો માટે તેઓ સખત વોરોધ કરતા આવા ગુણને કારણે ક્ષેત્રીય રાજાઓ તેઓ પર જરૂર ભરોસો મુકતા.એટલું જ નહી.પણ દુશ્મન પક્ષના હોય તોપણ નેક-ટેક માં ભાટો વિશ્વાસનિય હતા.આવા ભાટોની બાર પ્રતિજ્ઞાઓ હતી અને તે બાર પ્રતિજ્ઞાને તેઓ જીવનભર પાળતા.એટલે ભાટો પાછળથી બારહઠ કહેવાયા.
આ બાર પ્રતિજ્ઞાઓમાં તેઓ ક્યારેય જુગાર ન રમે, કોઈ મરીગ્યું હોય તો તેવા પાછળનું દાન ણ લ્યે, વ્યતિપાત, સંક્રાત, ગ્રહણ જેવા શાસ્ત્રનિષિધ પ્રસંગોના દાન લ્યે, કયા, વાણી અને આચરણ શુદ્ધ રાખે,વ્યભિચાર ન કરે,ખોટું ન બોલે, વચન ભંગ થાય નહી વગેરે…
જેતપુર-નવાગઢ- || ઈતિહાસ || ઈતિહાસ-સ્થાપત્ય
રાંગમા ઘોડિયું થનગને, ઈ મુલક કાઠિયાવાડ.''
આવા આ કાઠિયાવાડના કાઠી પરગણાના કેન્દ્રસ્થ ગામ જેતપુર વિશેની થોડી રસપ્રદ વિગતો અત્રે રજૂ કરેલ છે.
''માહિતી કેટલીક સાંપડી, મખ્યો આગળનો ઇતિહાસ,
જે કંઈ મુજને જડયું, સંગ્રહ કીધો સાર.''
ઈ.સ. ૧૯૩પમાં ગર્વમેન્ટ ઓફ ઈન્િડયા તરફથી પ્રકાશિત થયેલ અંગ્રેજી પુસ્તક - ' ધ રુલીંગ પ્રિન્િસઝ, ચિફસ એન્ડ લીડીંગ પરસન્સ ઈન ધ વેસ્ટર્ન ઈન્િડયા સ્ટેટ એજન્સી' માં જણાવ્યું છે કે બ્રહ્માની પિસ્તાલીસમી પેઢીએ બાલાદિત્ય થયા તેના અનુવંશીઓ બાલા કહેવાયા. તેઓ કાઠિયાવાડમાં આવ્યા પછી 'વાળા' કહેવાયા. તેમાં પુષ્પમિત્ર થયા. તેમણે તેમના પિતા અહિ કેતુના નામ ઉપરથી 'અહિકેતપુર' વસાવ્યું. જે પાછળથી 'ગુર્જરગઢ', 'જેતપોર' અને અંતે 'જેતપુર' એવા નામે પ્રસિધ્ધ પામયું.
બ્રહ્માની ૧૬૪મી પેઢીએ થયેલ એભલવાળા છઠ્ઠાએ જેતપુરમાં રાજ કર્યું. તેને ચાંપરાજવાળા અને શેલાયતવાળા એમ બે પુત્રો હતાં. જેમાં દિલ્હીના સૂબા સાથે લડતા-લડતા ચાંપરાજવાળા મરાયા અને જેતપુર મુસલમાનોના હાથમાં ગયુ. થોડો સમય મુસલમાન શાસકોએ રાજ કર્યું.
મુગલાઈ સતાના અંત પછી કાઠીઓએ પોતાના બાહુબળથી સરવૈયા રાજપૂતોને હરાવી ઈ.સ.૧૭૩પ માં ચીતલ અને બીજા પ્રદેશ મેળવ્યા. તે સમયે જેતપુર,બિલખા અને મેંદરડામાં લૂંટારાઓનો ભય રહેતો એને જૂનાગઢમાં રાજકર્તા તેમને શાંત રાખવા સમર્થ ન હતા,તેથી ઈ.સ.૧૯૬૦ માં આ ત્રણ ગામ વાળા કાઠીઓને તેમણે સોંપી દીદ્યા. આ પછી કાઠીઓને ભાવનગર રાજય સાથે દુશ્મનાવટ થતાં કાઠીઓએ વિચાર્યું કે આ ગામ દુશ્મન ના હલ્લા સામે બચાવ કરી શકે તેવું નથી તેથી ઈ.સ.૧૯૯ર માં જેતપુરને ફરતે મજબુત કિલ્લો બંદ્યાવી ત્યાં પોતાનું વડુમથક સ્થાપી રાજદ્યાનીનું શહેર બનાવ્યું. ઈ.સ.૧૮૦૪ માં ગાયકવાડનાં દિવાને જેતપુર પર હુમલો કરી એક મહીનો તોપમારો ચલાવ્યો પણ કીલ્લાની કાંકરી પણ ખરી નહી, આવો મજબૂત તે કિલ્લો હતો.
ચિતલની ગાદી જેતપુર ફેરવવામાં આવી તે સમયે નાજાવાળાના બેપુત્રો હતા. વીરવાળા અને જૈતાવાળા,વીરાવાળાએ બિલખા અને જૈતાવાળાએ જેતપુરની રીયાસત ઉભી કરી અને જેતપુર તેમજ ચિતલ તરફ ધ્યાન આપ્યું. આ વીરાવાળાના વંશજો 'વિરાણી' અને જૈતાવાળાના વંશજો 'જેતાણી' શાખથી ઓળખાયા. સમય જતા ચૈતાણી વાળા દરબારોનાં ભાગમાં જેતપુર, પીઠડીયા, થાણાદેવળી (અમરનગર), માનપુર, માયાપાદર, ભાયાવદર, સનાળા, સૂર્યપ્રતાપગઢ, અનીડા, આલીદ્ય્રા, નડાળા, ખીજડિયા, સરધારપુર, અકાળા વિગેરે આવતા તે સ્ટેટસ તાલુકાઓ બન્યા. ઈ.સ.૧૯૪૭ માં ભારત દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ રાજયો ઉપર તેમણે તેમનું શાસન કર્યું હતું.
રણવીર ચાંપરાજવાળા
જેતપુરની ઓળખ ગુજરાતમાં જેતપુર કાઠીનું તરીકે ઓળખાય છે, એવા આપણા આ જેતપુર શહેરમાં વીર ચાંપરાજવાળા નામે વિખ્યાત રાજવી થયા. એમના વિશેની એક પરંપરાગત કથા છે કે ચાંપરાજવાળાને એક સ્વરૂપવાન પુત્રી હતી. તેની માંગણી મુસલમાન સૂબાને પહોંચી શકાય તેમ નથી તેમ જણાતા પોતાની કુંવરીને તલવારને ઝાટકે મારી નાખી, પછી ભાદરને કાંઠે મહાદેવ સમક્ષ કમળપૂજા કરી યુધ્ધમાં ઉતર્યા. જયાં તેમણે કમળપૂજા કરી તેમનું શિર પડયું. તે સ્થળે જેતપુરમાં આજે ચાંપરાજની બારી તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે હાલ તેમનું મંદિર બનાવવામાં આવેલ છે, જયાં તેમના મસ્તકની પ્રતિકૃતિ મૂકેલ છે. ચાંપરાજવાળાનું ઘડ લડતું લડતું દુશ્મન સૈન્ય પાછળ પડયું અને છેક અમરેલી જિલ્લમાં આવેલ લાઠી ગામનાં પાદર સુઘી દુશ્મનોને તગડી આવ્યું, પણ ત્યાં કોઈએ આ ઘડ ઉપર ગળીનો દોરો નાખતાં ઘડ ત્યાં પડી ગયું. (કારણ ગળી અપવિત્ર મનાય છે.) આ વીર પુરૂષની યાદ કાયમ જળવાઈ રહે તે માટે જેતપુરના મુખ્યચોકને ’ચાંપરાજવાળા ચોક’ એવું નામકરણ કરી તેમની સ્મૃતિ જાળવવાનો પ્રયત્ન થયો છે.
તપુર દરબાર સાહેબશ્રીમુળુવાળા સાહેબ
જેતપુરના રાજવી શ્રી મુળુવાળા સાહેબનો જન્મ ઈ.સ. ૧૮૩૭ માં થયો હતો. દ. શ્રી. મુળુવાળા સાહેબ સારાં વહીવટ કુશળ રાજવી હતાં તેમની યશસ્વી કારકીર્દી ચૌતરફ કાઠીયાવાડમાં ફેલાઈ હતી. તેઓ ઉજજવળ પ્રતિભા ધરાવતા હોવાના ભાગ રૂપે ઈ.સ. ૧૯ર૮માં અંગ્રેજોએ સી.આઈ.ઈ. ના ઈલ્કાબથી વિભુષિત કર્યા હતાં. આવા બિરૂદો ’રાજાશાહી’ યુગમાં ’કલગી’ રૂપ ગણાતાં. દરબારશ્રી મુળુવાળા સાહેબ જેતપુર તાલુકા કોર્ટના પણ આજીવન મેમ્બર હતાં. જે તાલુકા કોર્ટનું મકાન ’જૂની કોર્ટ’ તરીકે ઓળખાય છે. અને આજે પણ હયાત છે.
દરબાર શ્રી મુળુવાળા સાહેબ ની ઉદારતા તથા ધાર્મિક આસ્થા ઉમદા હતી. દરબાર સાહેબે ત્રણ જુદા જુદા સમયે ’ચોર્યાસી’ નામનો યજ્ઞ પંડીતો પાસે કરાવેલ અને આ યજ્ઞ સમયે જેતપુરની વસતી અંદાજે ૩૦ હજારની હોવાનું મનાય છે. આ રાન પરિવારનું નિવાસસ્થાન વિક્રમશીબાપુના ગઢથી પ્રખ્યાત હતો જે આજે પણ સ્વામીનારાયણ મંદિરની સામે આવેલો છે. દરબાર સાહેબ દવારા નિર્માણ મહેલ, શિવાલયો, મંદિરો, ધર્મશાળાઓની યાદી ઘણી છે. આ બધી જ સખાવતો પ્રજાપર્ણ તે સમયે કરવામાં આવેલી.
સ્થાપત્ય
દરવાજા અને બારીઓ
એક કાળે જેતપુરમાં ગઢને ફરતે કુલ પાંચ દરવાજા અને બે બારીઓ હતી. જેમાં
૧) ગોંડલ દરવાજો - જયાંથી ગોંડલ તરફ જવાતું,
ર) ધોરાજી દરવાજો - જયાંથી ધોરાજી તરફ જવાતું,
૩) નવો દરવાજો - ત્યાંથી મોઢવાડી અને ભમરીયા તરફ જવાતું,
૪) જૂનાગઢ દરવાજો - જગાવાલાના પરા પાસે જૂના મહાજનવાડા પાસે હતો.
પ) બોખલો દરવાજો
આમ કુલ પાંચ દરવાજા હતા. તેમજ ચાંપરાજની બારી અને લક્ષમણવાળાની બારી એમ બે બારીઓ હતી.
પરા
જેતપુરને ફરતે બાર પરા હતાં. તેમાં પાંચ મોટા અને સાત નાના પરા હતાં. તેમાં ભીલપરું, ખીજડાપરું, કંગાલપરું, ખોડપરું, જગાવાળાનું પરું , બાવાવાળાનું પરું, સુરગવાળા પરું, લખુભાઈ પરું, નાજાવાળા પરું, કુંભારપરું, ખાંટપરું એ મુખ્ય પરા હતાં.
રેલ્વેનો પુલ
જેના કાંઠે જેતપુર વસેલું છે તે પુરાણ પવિત્ર ભાદર નદી (ભદ્રાવતી) એ બીજી નદીઓ કરતાં મોટી નદી હતી અને હાલ આ નદીમાં જયાં રેલ્વેનો પુલ છે તેની પાસે એક મોટો ધોધ હતો અને તેના પાણીના જોરથી કપાસ પીલવાના ત્રણ ચરખા ચાલતા. તેને જળચકકી કહેતા. ત્યાંથી છેક કુતિયાણા સુધી નદીમાં વહાણો ચાલતાં અને તે દવારા વેપાર તેમજ મુસાફરી થતી.
ભાદર નદી ઉપર જે રેલ્વે પુલ આવેલો છે તે દરબાર સાહેબશ્રી મુળુવાળા સાહેબના સમયમાં બંધાયો હતો. જેના ખર્ચમાં દરબાર સાહેબ ઉપરાંત ગોંડલનાં સર ભગવતસિંહ બાપુ તેમજ જુનાગઢનાં નવાબ સાહેબનો પણ ફાળો છે. આ પુલનુ ઈજનેરી કામ કરનાર રોબર્ટ બુથ નામનાં અંગ્રેજ હતાં. ઈ.સ. ૧૮૭૪માં આ કાર્યની શરૂઆત થઈ હતી. એ પુલ આજે પણ હયાત છે.
સૂર્ય મંદિર
જેતપુરના દ. : શ્રી મુળુવાળા સુરગવાળા (સી.આઈ.ઈ.) પ્રજા વત્યલ્ય રાજવી અને સૂર્ય ઉપાસક હતાં. કાઠી ક્ષત્રિયો આદી અનાદીની પ્રાચીન સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય, સુર્ય પૂજા કરવા માટે ઈ.સ. ૧૯૧પની આસપાસ રાજકોટ રોડ, ધારેશ્વર પાસે બંધાયેલું આ ધારેશ્વર સુર્યમંદિર વાળા વંશના રાજવીઓને રાજાશાહી યુગનું નજરાણું ગણી શકાય તેવો બેનમૂન સ્થાપત્ય કલાનો આ વારસો છે. આ મંદિર બાંધકામ માટે રબારીકા ગામની ખાણોનાં પથ્થરો વડે નિર્માણ થયેલ છે. આ પથ્થરોમાં લુણો લાગતો નથી, તથા ઉતમ કોતરણી છે.
દ.: શ્રી મુળુવાળાએ આ સૂર્યમંદિર બાંધતાં પહેલા ભૌગોલિક બાબતોનો ખાસ ખ્યાલ રાખેલ હતો કે, આ દેવળ માહેની બિરાજમાન મુર્તિઓ ઉપર શ્રી સૂર્યનારાયણ ભગવાનનાં પ્રથમ કિરણો પડે તે માટે સુર્ય ગતિ તથા ધરતીની ઉંચાઈ ચોકકસ પ્રમાણસર રાખવામાં આવેલી છે. તે સમયે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાજય જયોતિષ વેદ અભ્યાસુ સ્વ. દલપતરામ જોષીનાં શાસ્ત્રોકત પઠનવડે કરવામાં આવેલ. આ સુર્યમંદિરનાં ગર્ભ ગ્રહ માહેની તે સમયની મૂર્તિઓમાં સાત ઘોડાઓના રથવાળી આરસની મૂર્તિઓ હતી. તથા મંદિરનાં બહારનાં - અંદરનાં ભાગે અનેક મૂર્તિઓ પથ્થરની છે.જે દરેકની નીચે નામ કોતરાયેલા છે. જેમાં વાલખીલ, ચિંતામણી, શોકમણી વિગેરે જેવાં શાસ્ત્રોકત અર્થસભર નામો કંડારાયેલા છે.
- Sagarbhai Sarteja (vahivancha barot ) Saurashtra