જય માતાજી
રચયિતા:- કવિ જગદીશભાઈ બારોટ (મીતી)
(બારોટ લક્ષણ બાર)
(છપૈય)
બારોટ લક્ષણ બાર,
પદ શ્રેષ્ઠ ધર પરિયાગતિ.
બારોટ લક્ષણ બાર,
કરે અમર નર કીરતી.
બારોટ લક્ષણ બાર,
સભાજીત ઔર ચતુરાઇ.
બારોટ લક્ષણ બાર,
પણ ખાતીર પ્રાણ દેઈ.
મન વચન અરૂ કર્મથી મજબુત,
શારદ એ રટનાર છે.
દાન લીયે રૂ દાન દીયે,
બારોટ લક્ષણ બાર છે.
******************************
નોંધ;- બારોટમા આ બાર પ્રકાર ના લક્ષણો હોય છે.
(૧) ઉચ્ચ પદ પર બેસવું.
(૨) પરિયાગતિ પાળવી -બારોટ પણું કરવું.
(૩) નરવિરો -જજમાનની કિર્તી કરવી.
(૪) સભાજીત હોવું.
(૫) ચતુરાઇ હોવી
(૬)પણ માટે પ્રાણ આપવા (ત્રાગું કરવું)
(૭) મન અડગ હોવું.
(૮)વચનથી ચલીત ના થવું.
(૯) કર્મ શુધ્ધ હોવું.
(૧૦) મા સરસ્વતી નું રટણ કરવું.
(૧૧) દાન લેવું.
(૧૨) અને દાન દેવું.
કવિ જગદીશભાઈ બારોટ (મીતી)
ના જય માતાજી.
0 comments:
Post a Comment