Sunday 20 March 2016

राजपूत के नाम के पीछे सिंह क्यों लगता है

राजपूत के नाम के पीछे सिंह
क्यों लगता है?

इस युग में राजपूत को शेर इस लिए
कहा गया है
की वो "अघोषित विजेता" है
क्योकि शेर अपने
प्रहार करने
की क्षमता शक्ति के बल पर राज
करता है उसे
किसी के चुनाव की जरुरत
नहीं पड़ती,ठीक
राजपूत
भी वही है
जो अपनी लड़ने
की क्षमता सोर्य और साहस के दम पर
विजय प्राप्त
करता है, और पुरे विश्व में एक राजपूत
कोम
ही ऐसी है जिसके नाम के
पीछे सिंह लगता हैं ..
♚ हम राजा हैं हमें शराफत से राज करने
दो.......

अगर हम महाराजा बनें तो,,.हर दुश्मन
का जीना हराम कर देगें ♚...!!!

जब हम सिंहासन पर बैठते है तो,राजा कहलाते
है !
जब हम घोङे पर सवार होते तो,
योध्दा कहलाते है !
जब हम किसी की जान बचाते
है तो, श्रत्रिय
कहलाते है!
जब हम किसी को वचन देते है
तो "राजपुत"
कहलाते है !
" मेरा कत्ल कर दो
कोई शिकवा ना होगा,
मुजे धोखा दे दो
कोई बदला न होगा,
पर अगर जो आँख उठी मेरे वतन ए
हिन्दुस्तान
पे,
तो फिर
तलवार उठेगी और फिर कोई समझौता न
होगा...!! "

हमारी शक्सियत का अंदाज़ा तुम
क्या लगाओगे गालिब..,
के हम तो कब्रीस्तान से
भी गुज़रते है तो मुर्दे
उठ
कर कहते है...
"जय माताजी जी बना"
सर पे हे केसरिया साफा '
मुख पे हे सोने सी आभा'
जब हाथ मे लेते हे' तलवार
दुनिया करती हे '
कोटि कोटि प्रणाम'
अपनी माँ के सच्चे पुत '
इसलिए कहते हमको क्षत्रिय राजपुत'
जो मचछर से डर जाता है,
उसका खून भी लाल होता है।
जो शेर से लड जाता है,
उसका खून भी लाल होता है।।
लेिकन एक अजब खून का
जलवा तो गजब पुत का होता है!!
जो मौत को भी ललकारे वो खून
राजपुत का होता है !
जमाने ने राजपूतो के उसूल तो बदल दिए"
पर
"खून और दादागिरी आज
भी वो ही है.. ।।
झुंड मे रहने वालो आजमा कर
देखना कभी हमारी छाती पर
फौलाद
भी पिघलता है।
शेर सा जिगरा है "राजपूत"
हमेसा अकेला निकलता है।
गुलामी तो हम सिर्फ अपने माँ बाप
की करते
है .!!
दुनिया के लिये तो कल भी बादशाह थे और
आज
भी..!!

राजपूत उस बारिश का नाम नही जो बरसे और
थम जाये।
राजपूत वो सूरज नही है जो चमके और
डुब
जाये।
राजपूत नाम है उस साॅस का।
जो चले तो जिंदगी और थमे तो मौत बन
जाये।...........

अभी तक हम इतने
भी मामूली नहीं हुए...."
कि.....
किसी के दिल में बसना चाहे और वो इनकार
कर
दे...."

जो मिटा सके हमारी शोहरत के पन्ने.......
वो दम किसी में कहाँ.
शूक्र है तलवारें म्यान के अन्दर है वरना.
जो टिक
सके हमारें सामने वो सर कहाँ !!!
रानी नहीं तो क्या हूआ..
यह राजा आज
भी लाखों दिलों पर राज करता हैं.!!
बंदुक और तलवार जैसै खिलेोने बाजार मे बहुत
बिकते है ।।
पर उसे चलाने का जिगर
दुिनया के किसी भी बाजार मे
नही बिकता ----->

"मदॅ" उसे लेकर पैदा होता हे.... ॥

किसी ने पुछा
राजपूत
की जनसंख्या इतनी कम
क्यों है ???
राजपूत ने उतर देते हुए कहा - यह
प्रकृति का नियम
है यदि शेरों (राजपूत)
को बढा दिया जाए
तो दुसरी प्रजातियाँ खतरे मे पड़
जाएगी ।।
कोशिश तो सब करते है, लेकिन सबको हासिल
ताज नही होता ।
शोहरत तो कोई भी कमा ले, पर
बन्ना वाला अंदाज नही होता ।
उस दिन भी कहा था
आज भी कह रहा हु...
"उम्र छोटी है लेकिन
जज्बा दुनिया को मुट्ठी में
रखने का रखता हूँ
मेरी दोस्ती का फायदा उठा लेना क्युंकी
मेरी दुश्मनी का नुकसान सह
नही पाओग.....

हथियार तो सिर्फ शौक के लिए रखा करते है,
वरना किसी के मन में खौंफ पेदा करने के लिए
तो बस "नाम"
ही काफी हे.........
लोग कहते है तुजे तेरी "
बन्ना गीरी"
एक दिन मरवायेंगी...
मैने प्यार से कहा- क्या करु ?
सबको " बन्ना गीरी
आती नही और
मेरी जाती नही !......

..सिंह का मुखोटा लगाकर कोई शेर
नहीं बनता...

भाला उठाकर कोई राणा प्रताप
नहीं बनता...

रणभूमी में पता चलता हे योद्धाओ का...
मुछो की मरोड़ी लगाने से कोई
राजपूत
नहीं बनता...

कुछ हुनर खून में होते हे सिखाये
नहीं जाते...

यु दंड बैठक लगाने से कलेजा राजपूत
का नहीं बनता..,,,,

कुँवर विकृम सिंह ठिक

- Divyarajsinh Sodha (WhatsApp Massage)
 

સિંહનું દાન ( ઝવેરચંદભાઈ મેઘાણી )

" સિંહનું દાન  ( ઝવેરચંદભાઈ મેઘાણી ) "

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ  ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના ચાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં. પરંતુ મૂળી દરબાર ચાંચોજી લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા.

હળવદ અને ધ્રોલ દરબારને ચાંચોજીની  ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાંચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા, હળવદ દરબારને પોતાના દસોંદી ચારણનો વિચાર આવ્યો કે દસોંદી ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે, હળવદ દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે, પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ.

ચારણ કહે:  ભા એતો “પરમારનો વંશ હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે બાપ,

દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહી, અને ના પાડવી પડે.” ચારણ હા ના, હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા.

ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરો.”

“બાપ ! તમથી નહિ બને.”

“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર મારી નહિ એની ધજા ફરકે છે, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી, મારો ધણી માંડવરો અને મારી લાજ તો  એની લાજ,,

" કવિરાજ બોલો માંડવરાજ લાજ રાખશે."

“અન્નદાતા, મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈયે નથી જોઈતી,  અને તમારા લાખપશાવ પણ ન ખપે, પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો,,,,"

“તમ તારે.. જે માગવું હોય તે માગો કવિરાજ ”

ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :-

" અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !! "

અર્થાત: કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.

“સાવજ”  આખી સભાનો અવાજ ફાટી ગયો.

હા, હા, જીવતો સાવજ ” ચારણે લલકાર કર્યો :

" જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર ! "

અર્થાત: કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કોઈ પોતાના માથાં ઉતારી આપે, પણ,, હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું.

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી :-  “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માને છે કે ?”

પણ, ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :

" ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર ! "

અર્થાત: તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવ દાન દેજે, પણ મને તે,,, હે પારકર પરમાર, સાવજ જ ખપે.

“ ગોઝારો ગઢવો ”

સભામાં સ્વર ઊઠયો, ગઢવીએ ચેાથો દુહો ગાયો,

" દોઢા રંગ તુંને દઉં,  સોઢા બુદ્ધિ સાર,
મોઢે ઉજળે દે મને, પારકરા પરમાર ! "

અર્થાત: હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.

ચાંચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું :-  “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”

મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”

દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”

બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”

પરમારના ચારણોએ  બિરદાવળી ઉપાડી :

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી :

“લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”

ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”

સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,
પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !

સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :

" ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી. "

ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !

સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે  : “ જાઓ, વનરાજ ! આજે પરમારો અને આ મૂળી રાજની  લાજ રાખી બાપ....

” સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠયા આ તો  માંડવરાજ પોતે જ આવ્યા હતા..!!

- આભાર

સૌરાષ્ટ્ર રસધાર

આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.

અખિલ ભારતીય કાર્યકર્તા મહા અધિવેશન ની માહિતી પત્રિકા.

ઉજ્જૈન કુંભ અવસરદરમ્યાન યોજાનારી અખિલ ભારતીય કાર્યકર્તા મહા અધિવેશન નીચાર પેજ ની માહિતી પત્રિકા.






- માહિતી આપનાર (સતીષભાઈ બારોટ અમદાવાદ)


Barot Samaj Ni Meeting Unjha Kadva Patidar Samaj Mate

Aj ni kadava patidar samaj ni vahivancha Barot samaj ni parishad badal rajanibhai ane manikaka ne koti koti vandan ke jemane aa vichar avyo parishad na ante bane tarafathi 11vyakati ni kamiti banavi agami ayojan mate vicharava ma avashe jeno udesh sarthak thay temaj bandh padela patidar gam barot samaj no svikar kare Man ape tej shubhechha sathe sathe farithi svikar karela patidar samaj pase thi Apana bhaio ne vadhu sikh male ke na male parantu te samaj pase raheli Sammy baddhta(punctuality)
Ke jena thaki temano samaj pragati kari rahyo chhe je apana samaj ma avashe to apana samaj ni pragati koi roki nahi shake jay hingalaj.

Temaj patidar samaj no mukhy vyvsay kheti hova chhata pura samaj na 25% loko j tena par nirbhar chhe bakina 75% any vyavsay ma hovathi samaj pragati kari rahyo chhe tenu bilakul ulatu apana samaj ma chhe apne 75% apna mul vyavasay ma chhiye jyare 25% any vyavasay ma chhiye te gun Pan apana ma kelavashe karan jevo sang evo rang jeavu ann eva odakar.

- Shardulbhai Barot Vishnagar



 

























Photos By - Kalpeshbhai Barot Vishnagar

બૈરી લાવ્યો છે તો હરખાતો જ નઇ

બૈરી લાવ્યો છે તો હરખાતો જ નઇ,
હવે પરણ્યો ને તો પસ્તાતો જ નઈ.

શરુ માં લાગશે એ રૂપ નો અમ્બાર,
ડાકણ જેવી બને તો ગભરાતો જ નઇ.

અણિયારી આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાતો જ નઇ.

ઝુલ્ફો ને કહે છે ને ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાતો જ નઇ.

કોયલ કન્ઠી કહી પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાતો જ નઈ.

નાજૂક નમણી નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલણ ના છૂટાં ઘા કરે તો બિયાતો જ નઇ.

પગ લાગે છે ને કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાતો મારે તો હેબતાતો જ નઇ.

બે ચાર દા'ડા લગી લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તો ચિલ્લાતો જ નઇ.

હવે પરણ્યો જ છે તો ભોગવેજ ચુપચાપ,
લડી એની સાથે હાડકાં ને તો તોડાતો નઇ......
😀😀😀

- Bhavin Barot (WhatsApp)

सच्ची समज

સસરા એ શું જવાબ આપ્યો
જરૂર વાંચજો ....
એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.
યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, " હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ? "
પત્નિએ કહ્યુ, " તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.
બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું"
પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, " તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? " છોકરાની મમ્મી બોલી, " ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."
છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ,
" ગાંડી કોઇ બીજાની દિકરી
"પુરેપુરી આપણી થઇ જતી હોય" તો પછી "આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો" થાય
એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"
મિત્રો,
એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.

- Shardulbhai Visnagar (WhatsApp)

Saturday 19 March 2016

આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક શેરી મ્હોલ્લામાં "ઉજવાતી" હતી,
આજે પાર્ટી-પ્લોટમાં "રમાતી" થઈ ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક દિયર-ભાભીની વચ્ચે ખૂબ પ્રેમથી "ઉજવાતી" હતી,
આજે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાં "રમાતી" થઈ ગઈ...
ક્યારેક 'ફાગ'રૂપે "ગવાતી" હતી,
આજે ડી.જે.માં "ખોવાઇ" ગઈ..

ક્યારેક ખજુર-ધાણી-ચણા "સેવ-મમરા" સાથે "ખવાતી" હતી,
આજે "સેવ એન્વાયરમેન્ટ"
અને "સેવ વૉટર" સાથે "ચવાઈ" ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક અબીલ-ગુલાલ- કેશુડે "રંગાતી" હતી ,
આજે "કેમિકલના રંગોમાં "ડઘાઈ" (ડાઘવાળી) ગઈ...
ક્યારેક આગમાં "પ્રગટતી" હતી ,
આજે શબ્દોમાં ગંઠાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક કલમ-ખડિયા વડે ગ્રંથોમાં "વર્ણવાતી"
આજે ફેસબુક-વોટ્સએપ  પર લખાતી થઈ ગઈ.
આ હોળી "બિચારી" થઈ ગઈ !©

- Mayur Barot (WhatsApp)

Friday 18 March 2016

મારું મૃત્યુ

~: મારું મૃત્યુ :~ખાસ વાંચજો દરેક મિત્રને આજીજી

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના   પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો.

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે...

અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે.

કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?

અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ આ રહ્યો.’
મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.

બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ? મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી.

તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?

મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.

અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ?

એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?

જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત ! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.

‘અરેરે ! એને મારો હાથ દેખાતો નથી ? એ કેવો નિષ્ઠુર છે ? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે ?

ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને ?

ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે ?

‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા ? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા ! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.

મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા !

અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ?

કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોઈએ. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવીએ તો ?...

- Shardulbhai Visnagar (WhatsApp)

Wednesday 16 March 2016

वंशावली संरक्षण एवं संरक्षण संस्था - पवित्र कुम्भ स्नान प्रवास

सौ  बारोट बंधुओ ने मारा
जय माताजी.
आप सौ जाणो छो के अगामी
ता.1 में 2016 ना रोज आपडी बारोट समाज  नी राष्ट्रीय कक्षा नी वंशावली संरक्षण एवं संरक्षण संस्था नु बीजू राष्ट्रीय कार्यकर्ता महासंमेलन उज्जैन खाते कुम्भ मेला दरमियान योजानार छे.
आ संमेलन मा आपड़े सौ बारोट भाईओ, बहेनो, अने वडिलोए रसपूर्वक भाग लेवो जोइये.
       हिन्दू धर्म अने भारतीय हिन्दू संस्कृति अने समाज व्यवहवस्था मा बारोट समाज नु
शु योगदान रह्यु छे अने भविष्य ना राष्ट्रनिर्माण
माटे बारोटो नु योगदान केवु रहेशे, ते विषय नी वातो आपडा उच्चकोटि ना संतो अने महंतो ना मुखे सांभलवा नो,अने पवित्र  कुम्भ स्नान नो अनेरो अवसर ज्यारे आव्यो छे त्यारे आपड़े बधाऐ श्रद्धापूर्वक जोडावु जोइये.
आ प्रवास दरमियान आप सौ
उज्जैन नी नजिक मा आवेला ओम्कारेश्वर अने ममलेश्वर ज्योतिर्लिंग ना दर्शन पण करी शको छो,एक्ज प्रवास मा पवित्र कुम्भ स्नान, 3 ज्योतिर्लिंग ना दर्शन नी साथै साथै भारतभर मा वस्ता आपडा बारोट बंधुओ ने मलवा नो आ सोनेरी अवसर छे.
        जे भाई बहेनोने आ भगीरथ कार्यक्रम मा भाग लेवो होय ते विशेष माहिती माटे मारो संपर्क करे जेथी अगामी आयोजन माटे सरलता रहे.

                    जय माताजी 
                    आभार सह
                 आपनो विश्वासु
                   सतीश बारोट
                     अमदावाद


वंशावली संरक्षण एवम् संवर्धन संस्थान की उज्जैन सिंहस्थ कुम्भ मेले की तैयारी

कल दिनांक 13 मार्च इतवार को पवित्र नगरी उज्जैन में वंशावली संरक्षण एवम् संवर्धन संस्थान की उज्जैन सिंहस्थ कुम्भ मेले के अवसर के दरमियान संस्था के कार्यकर्ताओ का द्वितीय राष्ट्रीय
महाधिवेशन के विषय को लेकर संस्था की राष्ट्रीय कारोबारी के सदश्यों की  समीक्षा बैठक संपन हुयी ।
इस बैठक में दिनांक 1 मई रविवार
2016 के दिन उज्जैन में सुबह को संतगण के सानिध्य में बारोट बंधुओ का समूह कुम्भ स्नान,
और दोपहर के भोजन के बाद अखिल भारतीय कार्यकर्ताओ का महासंमेलन के निश्चित आयोजन को आखरी स्वरुप दिया गया।
इस बैठक में हुई चर्चा के मुताबित राष्ट्रभर से कम से कम 5000 वंशलेखक बंधुओ की उपस्थिति तय की गयी।
विशेष ख़ुशी की बात यह है की इस संमेलन में R.S.S.के सरकार्यवाह मा. श्री सुरेशजी
" भैयाजी जोशी", योगी श्री आदित्यनाथजी, सांसद गोरखपुर गोरखमठ ,और महाराष्ट्र के संत शिरोमणि श्री जितेन्द्रनाथ महाराज,तथा मध्यप्रदेश के
श्री श्री उत्तम स्वामीजी महाराज की गरिमामहि उपस्थिति रहेगी।
इस महान अवसर पर मध्यप्रदेश के मुख्यमंत्री
श्री शिवराजसिंह चौहान भी उपस्थित रहेंगे, इस दरमियान RSS के वरिष्ट प्रचारक और वंशावली संस्थान के संस्थापक श्री रामप्रशादजी का मार्गदर्शन हमें मिलेगा।
एक साथ,एक ही जगह पर समस्त भारत में बसे वंशलेखको का उपस्थित रहना,समूह में भोजन और पवित्र कुम्भ स्नान करना,यह एक अत्यंत शुभ और मंगलदायी अवसर होगा।
इस अवसर में गुजरात से ज्यादासे ज्यादा संख्या में हमें उपस्थित
रहेना है, यही एक अवसर है जिसमे हमें कुम्भ स्नान के पूण्य को पाना है और हमारी एकता का दर्शन कराना है।
 

























Source - Indravadan Barot (WhatsApp)

 
Design and Bloggerized by JMD Computer