Friday 25 March 2022

બારોટ નું મહત્વ...!

સુત-માગધ ને રાવજી, વહીવંચા વર્તાય
વંશ-પુરાણો વાંચતા, ઈ કુળ બારોટ નું કહેવાય...

ચોવીસ રૂપે શામળો, જુગે જુદા જોવાય
પણ ચારેય જુગ માં શોભતા, ઈ કુળ બારોટ નું કહેવાય....

કોણ માને બારોટ ને તો વાંચો...

માને સુબેદાર,
ફોજદાર,
ઊમરાવ માને
માને મોટા મુત્સદ્દી ઓ,
બેઠક દરબાર હૈ,
નાગ માને
દિલ્હી પતિ શાહ માને,
માને પાતાલરાજ, 
બારોટ કો ન માને વો હીજડા ગવાર હૈ.

કારણ નોંધ- બારોટ હિજડા કે ગમાર ના હોતા નથી

વહી નુ મહત્વ.:

પુણ્ય વંત ને પરાક્રમી બારોટ વિના કોણ ભણિજે,?

તિરથ વ્રત બહુ તેજ ગુણ અવગુણ કોણ ભણીજે?

ગામ, ઠામ, કુળ, ગોત્રભેદ જુજવા કોણ ભાખે?

ભાઇ, ફુઆઈ, મોસાળ ભાણેજ, તે બારોટ વિના રીત વિગત કોણ રાખે?

દેવતા, દેવ, નૈવેદ્ય, કુળ, ચિલો, સતી, સુરધન, કોણ સુણાવે?

વરે ખરે વખાણ અને ગઈ ભુલ બારોટ ગણાવે...

બારોટો ની વહી -ચોપડા અને વંશાવળી:

   વહી એટલે લોકસંસ્કૃતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર ની હોય છે તેમાય રાજપૂત રાજવંશ ની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી 30 -30 કીલો વજન વાળી રાજવહીઓ છે આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે. 

   આજના કોમ્પ્યુટર ના યુગ માં પણ રાજપૂત સમાજમાં દીકરાનો જન્મ થાય ત્યારે કુળના બારોટ ને બોલાવી પુત્ર નું નામ ચોપડે ચડાવવામાં આવે છે, હવે તો આધુનિક યુગમાં ઘણા બારોટો કોમ્પ્યુટર પણ રાખતા થઇ ગયા છે.

  લોકવિદ્યાઓ અને લોકજીવન સાથે સંબંધ ધરાવતી એક અત્યંત મહત્વની છતાં આજસુધી ઉપેક્ષિત રહેલી સંસ્થા – કે વિદ્યાશાખા બારોટ અને બારોટી સાહિત્ય વિશે ઊંડાણથી સંશોધનાત્મક ચર્ચા થવી અત્યંત જરૂરી છે. ‘વહી’ તરીકે ઓળખાતા‚ બારોટ દ્વારા લખાયેલા વંશાનુચરિતના લક્ષણો ધરાવતા વંશાવળીના ચોપડાઓનું સામાજિક મૂલ્ય શું છે એની વિગતવાર આલોચના થવી પણ આજના વૈજ્ઞાનિક યુગમાં ખૂબ જ જરૂરી છે.આજે માનવી પોતાનાં કુળ અને મૂળ વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની ઉત્કંઠા રાખે એ સ્વાભાવિક છે‚ અને એમાં આજ સુધી દરેક જ્ઞાતિ કે વંશના જિજ્ઞાસુઓને પૂર્ણ સંતોષ થાય એવી હકીકતો નથી સાંપડી એ પણ એક હકીકત છે.

   લગભગ તમામ લોક જાતિઓનો જીવંત – પ્રમાણભૂત ઈતિહાસ સાચવતી એક સમૃદ્ધ લિખિત પરંપરા તરીકે બારોટની ‘વહી’માં જે તે જ્ઞાતિ કે જાતિની મૂળ પરંપરા‚ આદ્યપુરુષ‚ એની શાખા-પ્રશાખાઓ‚ એનું મૂળ આદ્યસ્થાન‚ એનાં કુળદેવી-દેવી દેવતા‚ સતી‚ શૂરાપૂરા‚ ગોત્ર‚ શાખા‚ પર્વ‚ ક્ષેત્રપાલ‚ ગણેશ‚ ભૈરવ‚ દેવી-દેવતાના નિવેદ‚ ગામ-ગરાસની નોંધ‚ મંગલ અમંગલ પ્રસંગો વગેરે બાબતો વંશાનુ ક્રમે નોંધાયેલી જોવા મળે.પેઢી દર પેઢી જ્ઞાતિના બારોટ પાસેથી એના વંશજોને એ ‘વહી’ મળતી રહે‚ કંઠોપકંઠ જળવાયેલી પ્રાચીન હકીકતો સાથે નવી પ્રમાણભૂત હકીકતોનું ઉમેરણ થતું રહે. એક ચોપડો જિર્ણ થતાં નવી નકલમાં આ સામગ્રીનું અવતરણ થાય. છતાં જૂનો ચોપડો પણ જાળવી રાખવામાં આવે છે. એમાં યજમાનની વંશાવળીઓની સાથોસાથ પોતે રચેલું બારોટી સાહિત્ય‚ દુહાઓ‚ છંદ‚ કવિતા‚ પદો‚ ભજનો‚ કીર્તનો‚ વૈદક અને દંતકથાઓ લોકવાર્તાઓ-ઐતિહાસિક ઘટનાઓની નોંધો વગેરે સામગ્રી પણ સચવાઈ હોય છે.

 વહીમાં નામ માંડવાની વિધિ:

લોકસમુદાયમાં – લોકસંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બારોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ રામાયણ‚ શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્દગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે પૂજનિય મનાય છે. કેટલાય સમાજમાં આ વહી પ્રથા ભુલાઇ ગઇ છે.પરંતુ રાજપૂત સમાજમાં આજે પણ બારોટનાં ચોપડે નામ મંડાવવું જન્મ‚ યજ્ઞોપવિત‚ વિવાહ કે અન્ય માંગલિક પ્રસંગ જેવો જ – બલ્કે તેનાથીયે વિશેષ એવો અવસર મનાય છે.બાજોઠ ઉપર નવી આણાંત વહુવારુની રેશમી રજાઈ પાથરી બારોટજી એની ઉપર પોતાનો ચોપડો પધરાવે. બાજોઠ સામે બારોટજીનું વિશિષ્ટ આસન હોય. ધીરે ધીરે યજમાનના સૌ કુટુંબીજનો એકઠાંથાય ને બેસી જાય. રેશમી વસ્ત્રમાં બાંધેલ ચોપડો છોડતાં પહેલાં યજમાન પાસે ચોપડાના પોટલાંનું પૂજન કરાવે‚ યજમાન પગે લાગે ને ચોપડા ઉપર શીખ મૂકે.

   પછી યજમાનના વંશના મૂળ પુરુષથી વંશાવળીનું વાંચન શરૂ થાય. જે તે વંશમાં થયેલા દાનવીરો‚ શૂરવીરો‚ સતી‚ શૂરાપુરા વગેરેની કથાઓ પણ બારોટજી દ્વારા રજૂ થાય. અને છેલ્લે જેમના નામ માંડવાના હોય તેને સામે બેસાડી બારોટજી ચાંદલો કરે‚ ને ચોપડામાં નામ માંડે. બાળકના નામ સાથે પિતાનું નામ‚ માતાનું નામ‚ માતાનાં મૉસાળનું નામ‚ કુળ‚ શાખા‚ ગોત્ર‚ ગામ ને સ્થળ-કાળ-સમય નોંધાય‚ આ સમયે જે તે ગામના અધિપતિ ગામધણી ને ગામના આગેવાનોની હાજરી પણ નોંધાય ને ચોપડામાં લખવામાં આવે.નામ મંડાયા પછી બારોટજીને શીખ પહેરામણી થાય. શીખ લઈને બારોટજી આશીર્વચનો ઉચ્ચારે છે.

   અને આ રીતે બારોટજીના ચોપડામાં નવા જન્મેલાં બાળકોના નામમંડાય. સાથોસાથ ગામમાં થયેલ શુભ-અશુભ પ્રસંગો‚ યજમાનના કુટુંબમાં થયેલ કાર્યો – પ્રસંગો‚ યાત્રા‚ કુવા – વાવ –તળાવ – મકાન બાંધકામ જમીન – મકાન ખરીદી – વેચાણ વગેરે વિગતોની નોંધણી પણ બારોટના ચોપડામાં થઈ ગઈ હોય.આજે ઈતિહાસના પ્રમાણભૂત સાધનોની ખોજ કરતી વેળા બારોટના ચોપડાઓમાંથી મળતી આવી નોંધ ખૂબ જ ઉપયોગી થઈ
 આજે અન્ય વ્યવસાયોમાં પદાર્પણ કરવાની સાથે ઘણા બધા બારોટ કુટુંબોએ વહીવંચાની કામગીરી છોડી દીધી છે.આજના જમાનામાં યજમાનો તરફથી પણ પોતાના વહીવંચા બારોટને યોગ્ય રીતે જીવન નિર્વાહ ચાલે એટલી દક્ષિણા નથી મળતી‚ માત્ર ‘વહી’ ઉપર જીવન નિર્વાહ ચલાવવો દુષ્કર છે એ પણ હકીકત છે. આમ પરસ્પર બંને છેડાઓ ધીરે ધીરે ઘસાતા રહ્યા છે.

 
સાંકેતિક ભાષા અને પ્રતીકાત્મકતા:

   બારોટની વહીમાનું લખાણ એટલું બધું સંક્ષિપ્તમાં અને સાંકેતિક ભાષામાં હોય કે બીજો કોઈ ઉકેલી શકે નહીં‚ અન્ય જ્ઞાતિના બારોટજી પણ ન ઉકેલી શકે એવી ગૂઢ – ગુપ્ત સંકેત યોજના એમાં હોય કારણ કે બીજા બારોટજી આગળ ઘણીવાર ચોપડો ગીરવે મૂકીને બારોટ નાણાંનો વ્યવહાર પણ કરતા હોય –આ વખતે અન્ય બારોટ પોતાના યજમાનોની વંશાવળી જાણી જાય‚ એની નકલ કરી લ્યે અને આંબા બનાવે અથવા તો શીખ લેવા જાય નહીં એની પણ તકેદારી ખાતર ચોપડાની લખાણની પદ્ધતિ ગુપ્ત રાખવામાં આવે.આગળની પેઢી કેટલામાં પાનાં ઉપર આગળ નોંધાયેલી છે તેનો સંકેત દર્શાવવા ઘણીવાર પૃષ્ઠ અંકો માટે સાંકેતિક શબ્દો પ્રયોજવામાં આવ્યાં હોય. જ્યાં નવું ગામ શરૂ થાય ને એની વંશાવળી શરૂ થાય ત્યાં ‘ઘોડો કીઆડો ; પાઘડી ; તલવાર ; વેઢ: કોરી પાંચ : ધોતિયું :’ જેવા શબ્દો લખાયા હોય એના ચોક્કસ સાંકેતિક અર્થો થતા હોય અને એ અર્થ મુજબની સંખ્યાના પાને આગળની પેઢીઓની વંશાવળી મળે એવું સૂચન એમાં હોય. તો ‘મોર પનર’ કે ‘મોર ૭’ જેવા શબ્દો આગળના પંદરમા પૃષ્ઠ ઉપર કે આગળના સાતમા પૃષ્ઠ ઉપર જુઓનો સંકેત કરતા હોય.

       આ રીતે અનેક જુદી જુદી જાતિઓની વંશાવળીઓ ધરાવતી વહીઓ બારોટ સમાજ પાસે સચવાયેલી પડી છે. એની લિપિ પણ વિશિષ્ટ વહીએ વહીએ અને વહીમાં પણ લહિયા લહિયાએ લિપિ બદલાતી રહી હોય‚ એના અક્ષર વળાંકો બદલાતા ગયા હોય‚ એમાં સંકેત ચિન્હો પણ બદલાયાં હોય આ બધી જ વિગતોનો અભ્યાસ એક સ્વતંત્ર શાખા તરીકે કરવામાં આવે અને બારોટ સમાજ તરફથી યોગ્ય સહકાર મળે તો જ આપણો વિસરતો જતો આ અમૂલ્ય વારસો (કે જેનું મૂલ્ય એને સાંચવી બેઠેલા બારોટ સમુદાયને માત્ર યજમાનો પાસેથી શીખ-દક્ષિણા પ્રાપ્ત કરવાથી વધુ નથી) સચવાય‚ લોકોને એની મહત્ત સમજાય અને તો જ સાહિત્ય‚ ભાષા‚ લિપિ‚ ઈતિહાસ‚ સંસ્કૃતિ‚ માનવવંશ ઈતિહાસ જેવા વિષયો પર પૂર્ણ પ્રમાણભૂત હકીકતો સાંપડી શકાય.

 આમ બારોટ સમાજે વિવિધ જ્ઞાતીઓનો ઇતિહાસ પોતાના વહીવંચામાં કંડારી રાખેલ છે. રાજપૂત સમાજ હંમેશા બારોટને પૂજનીય ગણે છે.

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. ક્ષત્રિયોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે 

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા
.
ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે

‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.
ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે. દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે. (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા
બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા
ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.
ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.
પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.
છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.
સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.
આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.
નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં અમારા પર દુઃખ ભંજન અેવા વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.

તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. 

એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?
બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો
બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો
બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ
બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ
બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો
કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો
ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !

મળ્યાં વાદળાં ઘઘૂંબી
કાળા મેઘવાળા ધરા માથે
ચોમાસારા સજયા,
ગર્યે સઘળા સમાઢ
વરામેલી ધરા સરે
ચડી ફોજ ઇન્દ્રવાળી
ગાઢ મેઘ ગાજ્યા
તૂટયા છપ્પનારા ગાઢ.

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.
ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે.

દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે.

 (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. રાજપૂતોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે.

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા
બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા
ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.
ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.
પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.
છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.
સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.
આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.
નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.
કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. 

કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.
ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.
‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.
ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?
બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો
બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો
બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ
બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ
બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો
કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો
ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !
મળ્યાં વાદળાં ઘઘૂંબી
કાળા મેઘવાળા ધરા માથે
ચોમાસારા સજયા,
ગર્યે સઘળા સમાઢ
વરામેલી ધરા સરે
ચડી ફોજ ઇન્દ્રવાળી
ગાઢ મેઘ ગાજ્યા
તૂટયા છપ્પનારા ગાઢ.

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.
આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. 

જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું...

પોસ્ટ મા કોઈ ભૂલ હોય કે વધુ માહિતી હોય તો જણાવી શકો

આભાર | જય માતાજી | MD Parmar - Gir

0 comments:

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer