परम पूज्य ,रामायण-रसिक संतश्री मुरारीबापू जी के जन्म दिवस की शुभकामनाएँ
25 સપ્ટેમ્બર, 1946ના રોજ મહવા નજીક તલગારજરડા- સૌરષ્ટ્રમા વૈષ્ણવ પરિવારમાં જન્મેલા મોરારી બાપૂનો જન્મ થયો. પિતા પ્રભુદાસ હરિયાળી અને દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજડાથી મહુવા તેઓ ચાલતા શિક્ષણ મેળવાવા જતા હતા. 5 મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ.
દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની વયે જ બાપૂએ પહેલીવાર તલગાજરડામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન અભ્યાસમાં ઓછુ, રામકથામાં વધુ રમવા લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, જ્યાં તેમણે બાળપણમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ પાછળથી તેમણે આ કાર્ય છોડવું પડ્યુ કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા મગ્ન થઈ ચૂક્યા હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.
મહુવા છોડ્યા પછી 1966માં મોરારી બાપૂએ 9 દિવસની રામકથાની શરૂઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રામફલકદાસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી. તે દિવસોમાં બાપુ ફક્ત સવારે કથાનો પાઠ કરતા હતા અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા. હૃદયના મર્મ સુધી પહોંચાવનારી રામકથાને આજે બાપૂને બીજા સંતોથી વેગળા રાખ્યા છે.
મોરારી બાપૂના લગ્ન સાવિત્રીદેવી સાથે થયા. તેમને ચાર બાળકો છે જેમા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. પહેલા તો પરિવારના પોષણને માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ નિયમ તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.
મોરારી બાપૂ દર્શનના પ્રદર્શનથી પ્રદર્શનના દર્શનથી ઘણા દૂર છે. કથા કરતી વખતે તેઓ ફક્ત એક જ સમય ભોજન કરે છે. તેમને શેરડીનો રસ અને બાજરીનો રોટલો વધુ પસંદ છે. સર્વધર્મસંભાવના નારા પર ચાલનારા મોરારીબાપુની ઈચ્છા રહે છે કે કથા દરમિયાન તેઓ એક વારનુ ભોજન કોઈ દલિતને ઘરે જઈને કરે અને ઘણી વખત તેમણે આવુ કર્યુ પણ છે.
બાપુએ જ્યારે મહુવામાં પોતાના તરફથી 1008 રામ પારાયણ પાઠ કરાવ્યો તો પૂર્ણાહિતિ સમય હરિજન ભાઈઓને આગ્રહ કર્યો કે તેઓ નિ:સંકોચ મંચ પર આવે અને રામાયણની આરતી ઉતારે. ત્યારે દોઢ લાખ લોકોની ધર્મભીરુ ભીડમાંથી કેટલાકે વિરોધ પણ કર્યો અને કેટલાક સંત તો ઉઠીને જતા રહ્યા, પરંતુ બાપૂએ હરિજનો પાસેથી જ આરતી ઉતારડાવી.
સૌરાષ્ટ્રના એક ગામમાં બાપૂએ હરિજનો અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથા પાઠ કર્યો. તેઓ એ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે. બાપૂની નવ દિવસીય રામકથાનો ઉદ્દેશ્ય છે -ધર્મનો ઉત્થાન, તેમના દ્વારા સમાજની ઉન્નતિ અને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિના પ્રત્યે લોકોની અંદર જ્યોતિ જગાવવાની તીવ્ર ઈચ્છા.
મોરારી બાપૂના ખભા પર રહેનારી -કાળી શાલ- ને વિશે અનેક ધારણાઓ પ્રચલિત છે. એક ધારણા એ પણ છે કે કાળી કામળી હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે. પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે તેથી જ હુ આ શાલને ખભા પર નાખી મુકુ છુ.
કોઈપણ ધાર્મિક અને રાજનીતિક વિવાદોથી દૂર રહેનારા મોરારી બાપૂને અંબાણી પરિવારમાં વિશેષ સન્માન આપવામાં આવે છે. સ્વ ધીરુભાઈ અંબાણીએ જ્યારે જામનગર પાસે ખાવડી નામના સ્થળે રિલાયંસની ફેક્ટરીનો શુભારંભ કર્યો હતો ત્યારે મોરારી બાપુની કથાનું આયોજન રાખ્યુ હતુ, ત્યારે તેમણે ધીરુભાઈને પ્રશ્ન કર્યો હતો કે લોકો આટલી દૂરથી અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનનું શુ ? બાપૂની ઈચ્છા હતી કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીયોને એક સમયનુ ભોજન આપે ત્યારથી રિલાયંસમાં એક સમયનુ ભોજન આપવાની શરૂઆત થઈ. જે આજ સુધી કાયમ છે.
આજે ન જાણે કેટલા લોકો છે જે બાપુના ભક્ત થઈ ગયા છે કે તેમની પાછળ-પાછળ દરેક કથામાં પહોંચી જાય છે. આજના સમયમાં જે સાચા માર્ગદર્શકની જરૂરિયાત અનુભવાઈ રહી છે, તેમાં સૌથી પહેલા મોરારી બાપૂનુ નામ જ જીભ પર આવી જાય છે, જે સામાજિક મૂલ્યોની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનો અલખ જગાવી મૂક્યો છે.
जय सियाराम
JMD Computer
Sanket Barot
Mo. 9825892189
Email: support@jmdcomputerindia.com
0 comments:
Post a Comment